Oct 18, 2020

ભાગવત રહસ્ય -૪૨૦

શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે કે-તમે મને માથે હાથ પધરાવવાનું કહો છો,પણ તમારું મંડળ તો બહુ મોટું છે,તેમાં તો બહુ સમય જોઈએ,મારા બીજા ભક્તોનું થોડું કામ પતાવ્યા પછી હું આવું તો ? ત્યારે ગોપી કહે છે કે-કનૈયા,બીજા ભક્તોનું કામ તમે પછી કરજો.અમે તમારાં છીએ અને તમે અમારા છો.જ્ઞાની માને છે કે-ઈશ્વર સર્વના છે, જયારે પ્રેમી ભક્ત માને છે કે-ઈશ્વર મારા છે,તે મારે આધીન છે.પ્રેમ પરમાત્માને પરતંત્ર બનાવે છે.