Oct 22, 2020

ભાગવત રહસ્ય -૪૨૪

મનુષ્ય અક્રૂરજીની જેમ તન્મય થાય,તેમની જેમ પવિત્ર વિચારો કરે તો જીવન સફળ થાય.
પણ મનુષ્ય તો વિચારે છે કે-બે વર્ષ આવો ધંધો સારો ચાલશે તો મોટર લાવીશ અને બંગલો બનાવીશ.કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી,આત્મશક્તિનો નાશ થાય છે,જીવ ધારે તે થતું નથી,પણ ઈશ્વર જે ધારે તે થાય છે.(ધાર્યું ધણીનું થાય છે).
પવિત્ર વિચારો કરવાથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે.

Oct 21, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-46-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-46


ભાગવત રહસ્ય -૪૨૩

અક્રૂર કોણ ?જે ક્રૂર નથી તે અક્રૂર.
જે ક્રૂર છે તે શ્રીકૃષ્ણ ને લાવી શકે નહિ,જેનું મન અક્રૂર હોય તે ભગવાનને ઘેર લઇ આવે.
કંસે અક્રૂરને કહ્યું કે-કાકા,મારું એક ખાસ કામ કરવાનું છે. નારદજીએ કહ્યું છે કે દેવકીનો આઠમો પુત્ર શ્રીકૃષ્ણ એ મારો કાળ છે.વસુદેવે દગો કર્યો છે,અને દેવકીના તે આઠમા પુત્રને ગોકુળમાં મૂકી આવ્યા છે.હું પણ દગો કરીને શ્રીકૃષ્ણને મારી નાખીશ.મેં આ તો યજ્ઞનું એક બહાનું કર્યું છે,મારા કાળને મારવા માટે મેં પણ ષડયંત્ર રચ્યું છે,જ્યાં સુધી મારો કાળ જીવે છે,ત્યાં સુધી મને સુખ નથી.