Nov 21, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-66-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-66


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-65-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-65


ભાગવત રહસ્ય -૪૫૩

કંસની રાણીઓ અસ્તિ-પ્રાપ્તિ,કંસના મૃત્યુ પછી પિતા જરાસંઘને ઘેર આવી છે.જરાસંઘે જયારે જાણ્યું કે,શ્રીકૃષ્ણે કંસને માર્યો તેથી મારી પુત્રીઓ વિધવા થઇ છે,એટલે તે ગુસ્સે થયો અને મથુરા પર ચડાઈ કરી.ભગવાને વિચાર્યું કે-હાલ જરાસંઘને મારીશ તો પૃથ્વી પર નો ભાર ઓછો થશે નહિ,તે જીવતો હશે તો તેના પાપી સાથીદારો રાજાઓની સાથે સેના લઇને લડવા આવશે તો તે પાપી રાજાઓને શોધવા જવું નહિ પડે,તેઓ અત્રે આવશે જ.
તેથી ભગવાન જરાસંઘ ને મારતા નથી,તેની સેનાને,સાથીદારોને મારે છે.