Jan 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૨

શ્રીકૃષ્ણે-(૧) સહુ પ્રથમ તો –અર્જુનને સાચું જ્ઞાન (આત્મા અને શરીરનું જ્ઞાન) આપ્યું.અને કહ્યું કે-આ બધાં શરીરો છે. જે માયાથી પેદા થયેલાં છે.આ શરીરો તે આત્મા નથી.
આત્મા એક ચૈતન્ય છે –કે જેનાથી શરીરને જીવન મળે છે.અને આત્માના વિદાયથી મૃત્યુ મળે છે.જે જન્મે છે-તે મરે છે. શરીરનું જન્મ મૃત્યુ છે-આત્માનું નથી.એટલે મનુષ્ય મરનાર પણ નથી અને મારનાર પણ નથી.---એમ સમજાવી યુદ્ધ કરવાનું કહ્યું.

Jan 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-9


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧

જેમ,રસ્તે જતાં માર્ગમાંથી ભાગ્યવશ કોઈ કિંમતી હીરો મળી જાય-કે-જેમ,બગાસું ખાવ- મોઢું પહોળું થયું હોય-તે જ વખતે અકસ્માત અમૃતબિંદુ અંદર આવી પડે-તેવી જ રીતે-
હે અર્જુન,સહજતાથી-સ્વર્ગના દ્વાર-સમું,આવું ધર્મયુદ્ધ  તને પ્રાપ્ત થયું છે.અને આવું ધર્મયુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય ને જ પ્રાપ્ત થાય છે,જાણે તારા ગુણોની કીર્તિ સાંભળીને –તારામાં આસક્ત થઇ -પ્રત્યક્ષ કીર્તિદેવી તને વરમાળા આરોપવા આવ્યા હોય તેવું લાગે છે. (૩૨)