Feb 13, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૦


આ જગતમાં કર્મના ફળની ઈચ્છા રાખીને જ-અને કર્મ ફળ પર પોતાનો અધિકાર છે-એમ માનીને,કર્મ કરનારાઓનો વર્ગ બહુ મોટો છે.આત્મ-જ્ઞાની મનુષ્યો તો બહુ જ ઓછા જોવા મળે છે.આવા આત્મ-જ્ઞાની -યોગીઓ (મહાત્માઓ), શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકારથી,ફળ પ્રત્યેની આસક્તિ છોડી,અને માત્ર આત્મ-શુદ્ધિ માટે જ કર્મો કરતાં હોય છે.અને સર્વ કર્મો (ક્રિયાઓ) અને ફળો -બ્રહ્મને અર્પણ કરવાની -બુદ્ધિ -રાખે છે.

Feb 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-24


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૯

સાંખ્યયોગ (જ્ઞાનયોગ)માં-કર્મનો સવિવેક(વિવેકથી) સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે-અને 
કર્મયોગમાં –કર્મનું વિધિપૂર્વક આચરણ કરી (અનાસક્તિથી)–કર્મનો સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે.
જેમ સૂર્ય પ્રકાશ –ભિન્ન ભિન્ન હોઈ શકતો નથી, તે જ રીતે,
જે મનુષ્યે,આત્મ-જ્ઞાનથી –--આત્મ-સ્વ-રૂપને જાણ્યું છે.
તેને જ સાચી રીતે સમજાય છે-કે- આ બંને યોગ –જ્ઞાનયોગ અને કર્મયોગ-એક જ છે (૪)