Mar 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૬-અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ

અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ-૧
અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે-કે-
“બ્રહ્મ” એટલે શું ? “કર્મ” શાનું નામ છે ? “અધ્યાત્મ” શેને કહેવામાં આવે છે ? “અધિભૂત”-“અધિદૈવ”-“અધિયજ્ઞ” એટલે શું ? તે મને જરા વિગતથી સમજાવો.
જેણે અંતઃકરણને –સ્વાધીન-કર્યું છે-તે મરણ વખતે તમને કેવી રીતે ઓળખી શકે છે-
તેનું રહસ્ય મને સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે સમજાવો.(૧-૨)