Apr 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-10


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-9


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૮

જે પ્રમાણે-વસંત ઋતુમાં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ 
દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે---તે જીવાત્માનું જ્ઞાન અંતરમાંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? 
તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાનને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના   જોવા જેવું હોય તે જોતી જ નથી.