May 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૯

ગુણો (સત્વ-રજસ-તમસ)ના આધારે (કારણથી) બુદ્ધિ અને ધૃતિ (ધૈર્ય)ના પણ ત્રણ પ્રકારો છે.(બુદ્ધિ જયારે કર્મ કરવાનો નિશ્ચય કરે ત્યારે તે બુદ્ધિ-એ ધૃતિ (ધૈર્ય)ના નામથી ઓળખાય છે)
(૧) સાત્વિક બુદ્ધિ-પ્રવૃત્તિ (કર્મ માર્ગ) અને નિવૃત્તિ (સંન્યાસ માર્ગ) કોને કહેવાય? શું કરવું? અને શું ના કરવું?ભય શાથી છે? કે નિર્ભયતા શાથી છે? બંધન કેમ થાય છે? 
કે મોક્ષ કેમ થાય છે?આનો જવાબ જે બુદ્ધિ જાણે છે-તે સાત્વિક બુદ્ધિ કહેવાય છે.(૩૦)