Jul 12, 2021

Gujarati-Ramayan-Rahasya-12-ગુજરાતી-રામાયણ-રહસ્ય-12

સીતાજીના હરણ પછી,શ્રીરામ શબરીના આશ્રમમાંથી નીકળી,પંપા સરોવરના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમને નિહાળી રહ્યા હતા,શંકરજીને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે.ઈશ્વરના સ્વરૂપની આ બલિહારી છે.

Jul 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-9


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-8-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-8


Gujarati-Ramayan-Rahasya-11-ગુજરાતી-રામાયણ-રહસ્ય-11

રામજી મર્યાદા પુરુષોત્તમ છે.અને રામાયણ એ મર્યાદા સંહિતા છે.
રામજીએ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યોને મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે સંપ્રદાયમાં માનતો હોય કે,કોઈ પણ દેવ –દેવી કે ભગવાનમાં માનતો હોય,પણ રામજીના જેવી મર્યાદાનું પાલન,કે રામજીના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિનો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.રામજીનું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ”નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજીના જેવું રાખવામાં આવે,અને રામ-નામનો જપ કરવામાં આવે તો,તાળવામાંથી અમૃત ઝરે છે.

Jul 9, 2021

Gujarati-Ramayan-Rahasya-10-ગુજરાતી-રામાયણ-રહસ્ય-10

મૃત્યુ સુધરે તેનું કે જેણે જીવનને સુધાર્યું છે.જેણે પળેપળનો સદુપયોગ કર્યો છે.
તન,મન,ધન,વાણી –વગેરે સર્વેનો જે સદુપયોગ કરે,અને પ્રભુના નામ(રામ-નામ) નો આશરો લે તેનું મરણ સુધરે છે.હરિનામ સિવાય મરણ ને સુધારવાનો બીજો કોઈ સરળ ઉપાય નથી.

તરાપ મારવા ટાંપીને બેઠેલા કાળ (મૃત્યુ)નો મનમાં બરાબર ખ્યાલ રાખીને વ્યવહારની ક્રિયાઓ કરવાની છે.તેને માટે સ્મશાન વૈરાગ્ય પુરતો નથી,દૃઢ વૈરાગ્યની જરુર છે,
રોજ સ્મશાનમાં જવાની જરૂર નથી પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે.