ભાગવતમાં પ્રહલાદજીએ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈને ચિત્તોડનું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજીની સલાહ માગી,ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે-સીતા-રામની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાંનો પણ ત્યાગ કરવો.“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.” મીરાબાઈએ તે સલાહનો અમલ કર્યો તો તેમને રામ-રતન ધનની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”