Oct 1, 2021

Gujarati-Ramayan-Rahasya-89-ગુજરાતી-રામાયણ-રહસ્ય-89

કૈકેયીએ જયારે રામજીને વનવાસ આપ્યો ત્યારે કૌશલ્યા માને અપાર દુઃખ થયું હતું,
તે વખતે તેમને આશ્વાસન આપતાં રામજી કહે છે કે-“આ બધું મારા કર્મો નું ફળ છે,”
શ્રીરામ તો પરમાત્મા-બ્રહ્મ-સ્વરૂપ છે,તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું?ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યામા ને સમજાવે છે કે-પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.પૂર્વ જન્મમાં કૈકેયી,એ રેણુકા હતી,કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.

Sep 30, 2021

Gujarati-Ramayan-Rahasya-88-ગુજરાતી-રામાયણ-રહસ્ય-88

લક્ષ્મણજી આગળ કહે છે કે-મનુષ્ય-જન્મની અંદર જે કંઇ ધર્મ,અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે,પણ પૂર્વજન્મમાં કરેલાં ધર્મ-કર્મનું જ ફળ છે.તે જ પ્રારબ્ધ (દૈવ) છે.અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી.ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે.એકવાર રામજી આગળ હું પુરુષાર્થની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે-જેને પુરુષાર્થ કહે છે તે –કાક તાલીય ન્યાય જેવું છે.

Sep 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-13


Gujarati-Ramayan-Rahasya-87-ગુજરાતી-રામાયણ-રહસ્ય-87

સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વેને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજીના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવાનો પાર રહ્યો નહિ.“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવીને કરીશું શું?  અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.દાવાનળમાં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.મહાકષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?