બ્રાહ્મણની ગાયોની રક્ષા માટે,અસ્ત્રો લેવા,અર્જુનનું યુધિષ્ઠિરના આવાસમાં જવું,અને નારદજીએ કરેલા નિયમ
મુજબ અર્જુનનું વનમાં જવું,વનવાસમાં ઉલુપી ને ચિત્રાંગદાનો મેળાપ,ચિત્રાંગદાથી બબ્રુવાહનનો જન્મ,
ને બ્રાહ્મણોના શાપથી મગરી થયેલી પાંચ અપ્સરાઓનો અર્જુન દ્વારા ઉદ્ધાર-વિશેનું વર્ણન છે.
પછી,પ્રભાસતીર્થમાં અર્જુનનો શ્રીકૃષ્ણ સાથેનો મેળાપ,શ્રીકૃષ્ણની અનુમતિથી સુભદ્રા-હરણ,
સુભદ્રાથી અભિમન્યુનો જન્મ,અને પછી દ્રૌપદીના પુત્રોનું આખ્યાન કહેલ છે.