May 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-167

 
અધ્યાય-૧૮૨-વસિષ્ઠે નિયોગ કેમ કર્યો?

II अर्जुन उवाच II राज्ञा कल्माषपादेन गुरौ ब्रह्मविदांपरे I कारणं किं पुरस्कृत्य भार्या वै संनियोजिता II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,કયા કારણથી,કલ્માષપાદ રાજાએ,પોતાની પત્ની સાથે,વસિષ્ઠનો નિયોગ કરાવ્યો?

પરમ ધર્મને જાણનારા વસિષ્ઠે આવું,પુત્રવધુ જેવી સ્ત્રી સાથે ગમન કેમ કર્યું? મારા આ સંશયનું નિવારણ કરો 

Apr 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-166

 
અધ્યાય-૧૮૦-ઔર્વના ક્રોધની શાંતિ-ને વડવામુખ અગ્નિની ઉત્પત્તિ 

II और्व उवाच II उक्तवानस्मि यां क्रोधात् प्रतिज्ञां पितरस्तदा I सर्वलोकविनाशाय न सा मे वितथा भवेत् II १ II

ઔર્વ બોલ્યા-હે પિતૃઓ,ક્રોધમાં આવીને,સર્વ લોકના વિનાશની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા નહિ થાય.

ક્રોધ અને પ્રતિજ્ઞામાં હું વ્યર્થ થવા ઈચ્છતો નથી,કેમ કે,જેમ,અગ્નિ અરણિને બાળી મૂકે,તેમ પર ન પડેલો રોષ 

મને જ બાળી નાખે.જે મનુષ્ય,કારણસર ઉપજેલા ક્રોધને શમાવવાનું યોગ્ય ધારે છે,તે ધર્મ,અર્થ અને કામ એ 

ત્રણનું સારી રીતે રક્ષણ કરવા સમર્થ થતો નથી.અસભ્ય મનુષ્યોને અંકુશમાં લાવવા ને સભ્ય મનુષ્યોનું સંરક્ષણ કરવા,ને સર્વને જીતવા ઇચ્છતા રાજાઓએ યોગ્ય સ્થાને રોષ (ક્રોધ) કરવો જ જોઈએ.(1-4)

Apr 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-165

અધ્યાય-૧૭૮-વસિષ્ઠે કહેલું ઔર્વનું ઉપાખ્યાન 

II गन्धर्व उवाच II आश्रमस्था ततः पुत्रंदश्यन्ति व्यजायत I शक्तेः कुलकरं राजन् द्वितीयमिवशक्तिनं II १ II

ગંધર્વ બોલ્યો-હે રાજન,પછી,આશ્રમમાં રહેલી,અદશ્યન્તીએ શક્તિના કુળને વધારનાર,બીજા શક્તિ જેવા

એક પુત્રને જન્મ આપ્યો.વસિષ્ઠે પોતે જ તે પૌત્રની જાતકર્માદિ ક્રિયાઓ કરી.તે ગર્ભમાં હતો ત્યારે,વસિષ્ઠ,

પરાસુ (પ્રાણમુક્ત) થવાના નિશ્ચય પર હતા,તેથી આ લોકમાં તે પરાશર (મરણ માટે નિશ્ચયીને (પરાસુને)

આશ્વાસન આપનાર) તરીકે ઓળખાયો.તે ધર્માત્મા વસિષ્ઠને જ પોતાના પિતા માનતા હતા 

ને જન્મથી જ તે તેમના તરફ પિતાની જેમ વર્તતા (1-4)

Apr 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-164

 
અધ્યાય-૧૭૭-વસિષ્ઠથી સૌદાસપુત્રની ઉત્પત્તિ 

II गन्धर्व उवाच II ततो द्रष्टाश्रमपदं रहितं तैSसुतैर्मुनिः I निर्जगां सुदुखार्तः पुनरप्याश्रमात्तत: II १ II

ગંધર્વ બોલ્યો-પછી,મુનિ (વસિષ્ઠ) પોતાના આશ્રમને,તે પુત્રો વિનાનો,સૂનો જોઈને,ફરી અત્યંત દુઃખી થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા.તેમણે,વર્ષાકાળે,નવજળથી છલાછલ ભરેલી,અને અનેક વૃક્ષોને ખેંચી જતી એક 

નદી જોઈ,ને વિચારવા લાગ્યા કે-'આ દુઃખ સહેવા કરતાં,આ પાણીમાં જ પડું' ને પછી,તેમણે પોતાના શરીરને 

મજબૂત દોરડાથી બાંધી દઈને,તે મહાનદીમાં પડતું મૂક્યું.પણ,તે નદીએ તેમના સર્વ પાશ કાપી નાખ્યા 

ને તેમને,બંધનમુક્ત કરીને બહાર જમીન પર મૂકી દીધા.(1-5)

Apr 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-163

 
અધ્યાય-૧૭૬-વસિષ્ઠ ચરિત્ર તથા કલ્માષપાદ રાજાની કથા 

II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.

તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને 

માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ 

એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.

રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'