May 15, 2023

RajYog-and Yogsutra-Gujarati-Book-Swami Vivekanand-રાજયોગ-અને યોગસુત્ર-ગુજરાતી બુક-સ્વામી વિવેકાનંદ

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-180

 
વિદુરાગમન પર્વ 

અધ્યાય-૨૦૦-વિદુરે ધૃતરાષ્ટ્રને પાંડવોના સમાચાર આપ્યા 

II वैशंपायन उवाच II ततो राज्ञां चरैराप्तैः प्रवृत्तिरूपनीयत I पाण्डवैरूपसंपन्ना द्रौपदी पतिभिः शुभा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રાજાઓના પોતપોતાના વિશ્વાસુ દૂતોએ તેમને ખબર પહોંચાડી કે-

'દ્રૌપદી,પાંડવપતિઓને પરણી છે.જેણે ધનુષ્ય ચડાવીને લક્ષ્ય વીંધ્યું હતું,તે જયશીલોમાં શ્રેષ્ઠ મહાન ધનુષધારી અર્જુન હતો,ને જે બળવાને.મદ્રરાજ શલ્યને ઉછાળીને પટકી પાડ્યો હતો ને ક્રોધાવેશમાં આવીને,એક વૃક્ષથી માણસોને ત્રાસ પોકરાવ્યો હતો,ને જેને ભય જેવું કશું પણ નહોતું,તે શત્રુસેનાને પાડનારો ભીમસેન હતો'

May 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-179

 
અધ્યાય-૧૯૯-શ્રીકૃષ્ણે કરેલું મોસાળું 

II वैशंपायन उवाच II पाण्डवैः सह संयोगं गतस्य द्रुपदस्य ह् I न वभूव भयं किंचिदेवेभ्योपि कथंचन II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવોની સાથે પોતાનો સંબંધ બંધાયો,એટલે દ્રુપદ પૂરો નિર્ભય થઇ ગયો.તેને હવે દેવોનો પણ કોઈ ભય રહ્યો નહિ.પછી,દ્રુપદની સ્ત્રીઓ કુંતી પાસે ગઈ અને પોતપોતાનાં નામ કહીને શિર નમાવીને,પાયે પડી.

રેશમી પાનેતર પહેરેલી,કૃષ્ણા પણ સાસુને પ્રણામ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ઉભી રહી.

રૂપલક્ષણવાળી અને આચારથી સંપન્ન એ પુત્રવધુ દ્રૌપદીને,કુંતીએ પ્રેમપૂર્વક આશીર્વચન કહ્યાં-

May 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-178

 
અધ્યાય-૧૯૮-દ્રૌપદીનો વિવાહ 

II द्रुपद उवाच II 

अश्रुत्वैवं वचनं ते महर्षे मयापूर्व यतितं संविधातुम I न वै शक्यं विहितस्या पयानं तदेवेदमुपपन्नं विधानं II १ II

દ્રુપદ બોલ્યો-હે મહર્ષિ,આ મહામૂલું વચન સાંભળીને મારો મોહ નાશ પામ્યો છે,તમારું આ વચન સાંભળ્યા પહેલાં મેં લગ્નવિધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો,પણ દૈવીવિધાનને ટાળી શકાય તેવું નથી,એટલે તેને અનુસરવું જ યોગ્ય છે.ભાગ્યની ગાંઠ બદલી શકાતી નથી,સ્વકર્મથી અહીં કંઈ પણ થતું નથી.એક જ વરને માટે,અહીં લક્ષ્યભેદનું નિમિત્ત રખાયું હતું,પણ તે હવે પાંચને માટે નિશ્ચિત થયું છે.કૃષ્ણા પાંચવાર 'મને પતિ આપો' એમ બોલી,

ને ભગવાન શંકરે તેને 'પાંચ પતિ મળશે' એમ કહ્યું,એટલે આનું રહસ્ય ભગવાન શંકર જ જાણે છે,જો

આ ધર્મ કે અધર્મ,જો ભગવાન શંકરે જ વિહિત કર્યો છે તો તેમાં મારો કોઈ અપરાધ નથી.એટલે હવે આ પાંડવો

વિધિપૂર્વક આ કૃષ્ણાનું પાણિગ્રહણ કરે,કેમ કે તે તેમના માટે જ નિર્મિત થયેલી છે.(1-4)

May 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-177

 
અધ્યાય-૧૯૭-પાંચ ઈન્દ્રનું ઉપાખ્યાન 

II व्यास उवाच II पुरा वै नैमिषारण्ये देवाः सत्रमुपासते I तत्र वैवस्वतो राजन् शामित्रमकरोत्तत  II १ II

વ્યાસ બોલ્યા-હે રાજન,પૂર્વે દેવોએ નૈમિષારણ્યમાં સત્ર માંડ્યો હતો.તેમાં વિવસ્વાનના પુત્ર યમરાજ પશુ મારવાના કામમાં દીક્ષિત થયા  હતા,તેથી તે પ્રજામાંથી કોઈને મારતા નહોતા,કે જેને પરિણામે,મરણકાળ 

વીતી જતાં પણ મૃત્યુ ન થવાથી,જગતમાં મનુષ્યો પુષ્કળ વધવા લાગ્યા.ત્યારે ચંદ્ર,ઇન્દ્ર,વરુણ,કુબેર,સાધ્યો,

રુદ્રો,વસુઓ,અશ્વિનીકુમારો વગેરે (અમર એવા) દેવો,મનુષ્યોની અત્યંત વૃદ્ધિથી ભય પામવાથી,

સર્વ લોકના નિર્માતા,પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા.ને કહેવા લાગ્યા કે-

'અમે ભયથી ઉદ્વેગ પામ્યા છીએ ને સુખની ઈચ્છાથી આપને શરણે આવ્યા છીએ' (1-4)