Jun 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-207

અધ્યાય-૨૩૦-જરિતાનો વિલાપ 

II वैशंपायन उवाच II ततः प्रज्वलिते वह्नौ सर्द्ङ्गाकास्ते सुदुःखिता: I व्यथिता: परमोद्विग्ना नाधिजग्मु : परायणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,વનમાં અગ્નિ પ્રજ્વલિત થયો,ત્યારે અત્યંત દુઃખ,વ્યથા અને ઉદ્વેગ પામેલા તે શાડ઼:ર્ગક પક્ષીઓ કોઈ સ્થળે આશ્રય પામી શક્યાં નહિ,ત્યારે તેમની માતા જરિતા પણ દુઃખી થઇ વિલાપ કરવા લાગી.

Jun 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-206

 
અધ્યાય-૨૨૯-શાડ઼:ર્ગકો(સારંગો)નું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किमर्थ शार्द्ङ्ग्कानग्निर्न ददाह तथागते I तस्मिन्यये दगामने ब्रहम्न्नेतत् प्रचक्ष्व मे II १ II

જન્મેજય બોલ્યા-તે વનમાં આ રીતે દવ લાગ્યો હતો,ત્યારે અગ્નિએ શાડ઼:ર્ગક (સારંગ) પક્ષીઓને શા માટે બાળ્યાં નહિ?

તે મને કહો.તમે મને અશ્વસેન અને મયદાનવ બાળ્યો નહિ તેનું કારણ કહ્યું પણ આ શાડ઼:ર્ગકો વિશેનું કારણ કહ્યું નથી

તો હે બ્રહ્મન,તે પક્ષીઓની એ આપત્તિમાંથી થયેલી આશ્ચર્યકારક મુક્તિ વિષે કહો (1-3)

Jun 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-205

મયદર્શન પર્વ 

અધ્યાય-૨૨૮-દેવોનો પરાભવ અને મયદાનવનું રક્ષણ 

II वैशंपायन उवाच II तथा शैलनिपातेन भीतिषाः खाण्डवालयाः I दानवा राक्षसा नागास्तरक्ष्युक्षवनौकसः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,પર્વતશિખરના પડવાથી,ભય પામેલા,ખાંડવવાસી દાનવો,રાક્ષસો,નાગો,દીપડાઓ,

રીંછો,હાથીઓ,વાઘો,સિંહો,મૃગો,શરભો,પંખીઓ તેમજ બીજાં પ્રાણીઓ ઉદ્વેગ પામીને નાસવા લાગ્યાં.

વનને બળતું જોઈ અને સામે શ્રીકૃષ્ણને અસ્ત્ર ઉગામેલા જોઈને તેઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા.

ત્યારે શ્રીકૃષ્ણે.પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું,કે જેનાથી પીડાઈને ક્ષુદ્ર જાતિનાં પ્રાણીઓ,દાનવો ને નિશાચરો 

સેંકડોની સંખ્યામાં કપાઈ ગયાં ને તત્કાલ અગ્નિમાં પડ્યાં.કાળરૂપ ધારણ કરેલા શ્રીકૃષ્ણ જેમ જેમ ચક્ર ફેંકતા,

ત્યારે તે પિશાચો,નાગો રાક્ષસોને સંહારીને તેમના હાથમાં પાછું આવતું હતું.(1-11)

Jun 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-204

 
અધ્યાય-૨૨૭-ઈંદ્રાદિ દેવો સાથે કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तस्याय वर्षतो वारि पाण्डवः प्रत्यवारयत I शरवर्षेण बीभत्सुरुत्तमास्त्राणि दर्शयन  II १ II

વૈશંપાયન બોલ્યા-દેવરાજ ઇન્દ્રે કરેલી તે જળવૃષ્ટિને,અર્જુને ઉત્તમ અસ્ત્રો પ્રયોજીને બાણવૃષ્ટિ વડે રોકી દીધી.

તે અર્જુને અનેકાનેક બાણોથી આખા ખાંડવવનને ઢાંકી દીધું,ત્યારે એક પણ પ્રાણી વનની બહાર નીકળી શક્યું નહિ.તક્ષક નાગ તે વખતે તે ખાંડવવનમાં નહોતો,તે કુરુક્ષેત્ર ગયો હતો,તેના પુત્ર અશ્વસેને અગ્નિથી બચવા તીવ્ર પ્રયત્ન કર્યો,પણ તે અર્જુનના બાણોથી વીંધાઈ જતાં,વનની બહાર નીકળી શક્યો નહિ,તેથી તેની માતાએ તેને બચાવવાની ઇચ્છાએ,પ્રથમ તેનું માથું ગળી જઈને પછી તેનું પૂંછડું ગળવા લાગી,ને તે આકાશમાં જવા લાગી.

Jun 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-203

 
અધ્યાય-૨૨૬-ઇન્દ્રનો ક્રોધ 

II वैशंपायन उवाच II तौ रथाभ्यां रथिश्रेष्ठौ दवस्योमयतः स्थितौ I दिक्षु सर्वासु भूतानां चक्राते कदनं महत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે રથીઓમાં શ્રેષ્ઠ એવા તે શીકૃષણ અને અર્જુન રથોમાં બેસીને વનની બંને બાજુએ ઉભા રહ્યા ને સર્વ દિશાઓમાં પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યા.જે જે દિશાઓમાંથી પ્રાણીઓ ભાગતા હતા,ત્યાં ત્યાં તે બંનેના રથો તેમની પાછળ દોડી જતા હતા.તે બંનેના રથો એટલી ઝડપથી દોડતા હતા કે તેમની વચ્ચેનો કોઈ ગાળો લોકો જોઈ શકતા નહોતા.ને બંને રથો જાણે એકરૂપ જ હોય તેમ દેખાતા હતા.(1-3)