શિષ્ય,કાળે કરીને બુદ્ધિના પરિપાકથી એક પાદ મેળવે છે,એક પાદ ગુરુના સંબંધથી મેળવે છે,એક પાદ ઉત્સાહ યોગથી એટલે કે બુદ્ધિવૈભવથી મેળવે છે અને એક પાદ શાસ્ત્રથી એટલે કે સહાઘ્યાયીઓની સાથે વિચાર કરવાથી પ્રાપ્ત કરે છે (16)
ધર્માદિક બાર,જેનું સ્વરૂપ છે,આસન,પ્રાણ,જય વગેરે જેનાં અંગો છે અને યોગમાં નિત્ય તત્પરતા જેનું બળ છે,તે બ્રહ્મચર્ય આચાર્યના તથા વેદાર્થના સંબંધ વડે એટલે કે કર્મ તથા બ્રહ્મના સંબંધ વડે ફળીભૂત થાય છે (17)