Mar 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-754

 

અધ્યાય-૮૯-શ્રીકૃષ્ણનો વિદુરના ઘરમાં પ્રવેશ 


II वैशंपायन उवाच II प्रातरुत्थाय कृष्णस्तु कृत्वान्सर्वमाहिकम् I ब्राह्मणैरभ्यनुज्ञातः प्रययौ नगरं प्रति II १ II

વૈશંપાયને કહ્યું-આ તરફ શ્રીકૃષ્ણે પણ પ્રાતઃકાળમાં ઉઠી સર્વ નિત્યકર્મ કર્યું અને બ્રાહ્મણોની આજ્ઞા લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું.શ્રીકૃષ્ણને આવતા સાંભળીને દુર્યોધન સિવાય બીજા ધૃતરાષ્ટ્રના પુત્રો,ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે તેમને સામે લેવા ગયા.શ્રીકૃષ્ણનાં દર્શનની ઈચ્છાવાળા નગરના સર્વે લોકો બહાર નીકળ્યા હતા,કોઈ પણ ઘરમાં રહ્યું નહોતું.માર્ગમાં શ્રીકૃષ્ણ તેમને લેવા આવેલા સર્વને મળ્યા ને તેમના દર્શને આવેલા સર્વને વંદન કરતા તેઓ રાજમાર્ગ પર આવ્યા.રાજમાર્ગ મનુષ્યોથી એટલા બધો ભરાઈ ગયો હતો કે ઘોડાઓની ગતિ પણ અટકી પડી હતી.પછી શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો ને ત્રણ દ્વાર ઓળંગી ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા.શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર તેમને માન આપવા ઉભા થયા.

Mar 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-753

અધ્યાય-૮૮-શ્રીકૃષ્ણને કેદ કરવાની દુર્યોધનની ઈચ્છા 


II दुर्योधन उवाच II यदाह विदुरः कृष्णे सर्व तत्सत्यमच्युते I अनुरुक्तो ह्यसंहार्यः पार्थान्प्रति जनार्दनः II १ II

દુર્યોધને કહ્યું-વિદુરે કૃષ્ણના સંબંધમાં જે કહ્યું તે સઘળું કૃષ્ણને માટે સત્ય છે.જનાર્દન પાંડવો પ્રત્યે પ્રીતિવાળા છે અને આપણા પક્ષમાં ખેંચાય તેવા નથી,માટે તમે તેમને સત્કારપૂર્વક જે અનેક પ્રકારનું આપવા ધારો છો,તે તેમને કદી આપવું નહિ.કૃષ્ણ તેવા સત્કારને પાત્ર નથી,એમ મારુ કહેવું નથી,પરંતુ આ દેશ અને કાળ તેવા સત્કારને માટે અયોગ્ય છે,કારણકે તેમ કરવાથી કૃષ્ણ માનશે કે આપણે ભયથી તેમનો સત્કાર કરીએ છીએ.હે રાજા,જે કાર્ય કરવાથી ક્ષત્રિયનું અપમાન થાય,તે કાર્ય ડાહ્યા મનુષ્યે કરવું નહિ,એવો મારો દૃઢ નિશ્ચય છે.એ કૃષ્ણ,આ લોકમાં જ નહિ પણ ત્રણે લોકમાં પૂજ્ય છે એ હું સર્વથા જાણું છું,પરંતુ હમણાં કર્તવ્યની રીત એ જ છે કે,તેને કંઈપણ આપવું નહિ.લડાઈનો આરંભ થઇ ચુક્યો છે તે કંઈ લઢ્યા વિના-માત્ર અતિથિસત્કારથી શાંત પડશે નહિ (6)

Mar 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-752

 

અધ્યાય-૮૭-વિદુરનું સ્પષ્ટ ભાષણ 


II विदुर उवाच II राजन्बहुमतश्वासि त्रैलोक्यस्यापि सत्तमः I सम्भावितश्व लोकस्य संमतश्वासि भारत II १ II

વિદુરે કહ્યું-હે ભારત,તમે ત્રણે લોકમાં પણ બહુમાન્ય તથા સજ્જનોમાં મુખ્ય છો અને લોકમાં પ્રતિષ્ઠિત તથા સંમત છો.હમણાં તમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો,તે વખતે શાસ્ત્રજ્ઞાનથી અથવા સારા તર્કથી આવી ઉત્તમ વાતો કરો છો,તેથી તમે ખરેખર સ્થિર વિચારના તથા વૃદ્ધ છો.તમારામાં ધર્મ છે એવો પ્રજાનો નિશ્ચય છે,ને લોકો તમારા ગુણોથી સર્વદા પ્રસન્ન છે,માટે તમે બાંધવોની સાથે ગુણોના રક્ષણને માટે નિત્ય પ્રયત્ન કરો.તમે સરળતા રાખો,બાળબુદ્ધિથી પુત્રો,પૌત્રો અને સ્નેહીઓનો નાશ કરો નહિ.

Mar 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-751

 

અધ્યાય-૮૫-શ્રીકૃષ્ણના સત્કારની તૈયારી 


II वैशंपायन उवाच II तथा दूतै समाज्ञाय प्रयांतं मधुसूदन I धृतराष्ट्रोब्रविद्भिष्ममर्चयित्वा महाभुजम् II १ II

વૈશંપાયને કહ્યું-'શ્રીકૃષ્ણ આપણી પાસે આવે છે',એવી વાત દૂતો દ્વારા જાણીને ધૃતરાષ્ટ્રનાં રૂવાંડાં ઊભાં થઇ ગયાં,અને તેમણે ભીષ્મને,દ્રોણને,સંજયને,વિદુરને તથા અમાત્યો સહિત દુર્યોધનને કહ્યું કે-'હે કુરુનંદન,આજે એક અદભુત મહા આશ્ચર્યકારક વાત સંભળાય છે.ઘેરેઘેર સ્ત્રીઓ,બાળકો ને વૃદ્ધો એ જ વાત કરી રહ્યા છે કે-શ્રીકૃષ્ણ અહીં આવે છે.પરાક્રમી શ્રીકૃષ્ણ પાંડવોને માટે અહીં આવે છે તે મધુસુદન આપણને સર્વથા માન્ય તથા પૂજ્ય છે.સર્વ લોકનો નિર્વાહ તેમના આધારે ચાલે છે,કારણકે તે પ્રાણીઓના ઈશ્વર છે.તે શ્રીકૃષ્ણમાં ધૈર્ય,પરાક્રમ,બુદ્ધિ ને બળ રહેલાં છે,તે જ પુરુષોત્તમ સનાતન ધર્મરૂપ છે માટે તેમનો સત્કાર કરો કારણકે તે પૂજન કરવાથી સુખ આપે છે અને પૂજન ન કરવાથી દુઃખ આપે છે.(7)

Mar 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-750

 

અધ્યાય-૮૪-શ્રીકૃષ્ણનું પ્રયાણ (ચાલુ)


II वैशंपायन उवाच II प्रयांतं देवकीपुत्रं परवीररुजो दश I महारथ महाबाहुमन्वयुः शस्त्रपाणयः II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,મહાબાહુ દેવકીપુત્રં શ્રીકૃષ્ણ જવા લાગ્યા તે સમયે તેમની સાથે દશ મહારથીઓ,

એક હજાર પાળાઓ,એક હજાર ઘોડેસ્વારો,સેંકડો સેવકો અને પુષ્કળ અન્ન સામગ્રી હતી.

જન્મેજય બોલ્યા-શ્રીકૃષ્ણ કેવી રીતે ત્યાં ગયા? ને તેમને માર્ગમાં જતાં કયાં કયાં નિમિત્તો થયાં હતાં ?


વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણના પ્રયાણ વખતે,આકાશમાં વાદળો ન હોવા છતાં વીજળીના ચમકારા થવા લાગ્યા ને પછી પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો.સિંધુ વગેરે સાત નદીઓ કે જે પૂર્વ તરફ વહેતી હતી તે પશ્ચિમ તરફ વહેવા લાગી.સર્વ દિશાઓ વિપરીત ભાસવા લાગી અને કંઈ પણ સૂઝે નહિ તેવું થઇ ગયું.અગ્નિઓ પ્રકટવા લાગ્યા,પૃથ્વી કંપવા લાગી.આકાશમાં મોટો શબ્દ થવા લાગ્યો પણ શબ્દ કરનારનું શરીર દેખાતું ન હતું,એ આશ્ચર્ય જેવું થઇ પડ્યું.કઠોર ને વજ્રના જેવો,નૈઋત્ય ખૂણાનો વાયુ,સંખ્યાબંધ ઝાડોને તોડી પાડતો હસ્તિનાપુરને ઝુડી નાખવા લાગ્યો (10)


પરંતુ,શ્રીકૃષ્ણ,જે જે માર્ગે થઈને જતા હતા,ત્યાં સુખકર વાયુ વાતો હતો અને સર્વ અનુકૂળ થઇ જતું હતું.ગામે ગામે હજારો બ્રાહ્મણો વાસુદેવની વાણી વડે સ્તુતિ તથા પૂજન કરતા હતા.રસ્તામાં સ્ત્રીઓ એકઠી થઈને સુગંધીવાળા વનના પુષ્પોથી તેમને વધાવતી હતી.આ પ્રમાણે સન્માન પામતા શ્રીકૃષ્ણ,અનેક દેશોનું ઉલ્લંઘન કરતા,સુખકારક અને ધર્મિષ્ઠ લોકોથી વસાયેલા,રમણીય શાલિભવન નામના સ્થાનમાં આવ્યા.તે વખતે તેમનાં દર્શન કરવાની ઈચ્છાથી અનેક લોકો ટોળે વળીને ઉભા હતા.પૂજા કરવા યોગ્ય શ્રીકૃષ્ણ પોતાના દેશમાં અતિથિ તરીકે આવ્યા એટલે ત્યાંના સર્વ લોકોએ તેમની પૂજા કરી.

સૂર્ય આથમવા આવ્યો હતો એટલે શ્રીકૃષ્ણ રથમાંથી ઉતર્યા અને રથને છોડવાની આજ્ઞા કરીને વિધિ પ્રમાણે સ્નાન-આદિ કરીને સંધ્યા વંદન કરવા બેઠા.પોતાનું સર્વ કાર્ય આટોપીને શ્રીકૃષ્ણે ત્યાં રાત્રિ નિવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો એટલે સેવકોએ તરત જ ખાવાપીવાની ઉત્તમ સગવડ કરી દીધી.પછી ગામના બ્રાહ્મણો ને નેતાઓએ આવીને શ્રીકૃષ્ણની પૂજા કરી અને તેમનો આદરસત્કાર કર્યો.શ્રીકૃષ્ણે પણ તે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું એને તે રાત્રિએ ત્યાં સુખેથી નિવાસ કર્યો (29)

અધ્યાય-84-સમાપ્ત

Mar 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-749

 

અધ્યાય-૮૩-શ્રીકૃષ્ણનું પ્રયાણ 


II अर्जुन उवाच II करुणामद्य सर्वेषां भवान्सुह्रद्नुत्तम I संबन्धी दयितो नित्यसुभयो: पक्षयोरपि II १ II

અર્જુને કહ્યું-હે કૃષ્ણ,આજે તમે સર્વ કુરુવંશીઓના પરમ સ્નેહી છો અને બંને પક્ષના સંબંધી તથા નિત્ય પ્રીતિપાત્ર છો,માટે તમારે ધૃતરાષ્ટ્રના પુત્રોનો પાંડવોની સાથે સંપ થાય તેમ કરવું,કારણકે તમે સલાહસંપ કરાવવા સમર્થ છો.તમે દુર્યોધનને પાસે જઈને તેને શાંતિને માટે જે કહેવા જેવું યોગ્ય હોય તે કહેજો.તમે ધર્માર્થયુક્ત,નિર્દોષ અને કલ્યાણકારક વચન કહેશો,ને તે હિતરૂપ વચનને જો મૂર્ખ દુર્યોધન સ્વીકારશે નહિ તો પછી તે ભાગ્યને અધીન થશે (4)

શ્રીભગવાને કહ્યું-ધર્મને અનુસરીને આપણું હિત અને કૌરવોનું કુશળ સાધવા હવે હું ધૃતરાષ્ટ્રને મળવા જઈશ.