અધ્યાય-૧૨૭-દુર્યોધનનાં વાક્ય
II वैशंपायन उवाच II श्रुत्वा दुर्योधनो वाक्यमप्रियं कुरुसंसदि I प्रत्युवाच महाबाहुं वासुदेवं यशस्विनम् II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કૌરવોની સભામાં,પોતાને અપ્રિય લાગે તેવાં વાક્ય સાંભળીને દુર્યોધન,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-
'હે કેશવ,તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ.તમે ખાસ કરીને કઠોર શબ્દો બોલીને મારી જ નિંદા કરો છો.તમે નિત્ય પાંડવો પર પ્રીતિ દર્શાવનારા વાદ વડે એકાએક મારી જે નિંદા કરો છો,તે અમારા અને પાંડવો વચ્ચેના કયા બળાબળને જોઈને કરો છો? તમે,વિદુર,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,અને ભીષ્મ કેવળ મારી જ નિંદા કરો છો,બીજા કોઈ રાજાને નિંદતા નથી.હું તો મારો કોઈપણ અન્યાય જોતો નથી,છતાં રાજાઓ સહિત તમે સર્વ મારો જ દ્વેષ કર્યા કરો છો (5)