Oct 7, 2011

જગત નો નિયંતા


બહુ સમય પહેલા વાંચેલી એક વાત યાદ આવે છે ,,,,,,

એક ચિત્રકાર નાસ્તિક હતો 
એક દિવસ ઘેર આવ્યો અને જોયું કે -
તે જે કેનવાસ સવારે કોરું મુકીને ગયેલો તેના પર 
કોઈકે પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે દોરી નાખ્યું છે ......

ગુસ્સે થઇ દીકરા ને બોલાવ્યો અને ખુલાસો માંગ્યો ......
દીકરો કહે કે મેં દોર્યું નથી ---
ચિત્રકાર કહે છે કે --
કોઈકે તો દોર્યું જ હોવું જોઈએ --એમ નેમ આ સફેદ 
કેનવાસ પર આ બધું કેવી રીતે આવે ?

હવે દીકરો કહે છે કે -
જે કેનવાસ પર દોરેલું છે તે બધું -
પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે ------
જગત માં કેવી રીતે આવ્યું ?
કોઈકે તો બનાવ્યું હશે ને ?

તમારી વાત સાચી છે .....
જે જગત નો નિયંતા છે  તે  "પરમાત્મા " છે .