Oct 31, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૦૬

ज्ञानं ज्ञेयं तथा ज्ञाता त्रितयं नास्ति वास्तवम् । अज्ञानाद् भाति यत्रेदं सोऽहमस्मि निरञ्जनः ॥१५॥

જ્ઞેય (જે જાણવાનું છે તે-ઈશ્વર),જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન(સત્યનું જ્ઞાન),એ ત્રિપુટી,

--જ્યાં આગળ વાસ્તવિક રીતે નથી (ત્રણે જુદી નથી),પરંતુ અજ્ઞાનને લીધે તે ભાસે છે,

--(પણ સત્યનું જે જ્ઞાન છે) તે નિરાકાર,નિરંજન (અદ્વૈત) તે “હું” (આત્મા) છું.(૧૫)

 

द्वैतमूलमहो दुःखं नान्यत्तस्याऽस्ति भेषजम् । दृश्यमेतन् मृषा सर्वमेकोऽहं चिद्रसोमलः ॥१६॥

અહો,જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે,તેનું સત્યજ્ઞાન સિવાય કોઈ ઓસડ (દવા) નથી,

--આ સમસ્ત દૃશ્ય-પ્રપંચ (જગત=દ્વૈત=ઉપાધિ) મિથ્યા છે,અને માત્ર,

--“હું” એક (અદ્વૈત) અને શુદ્ધ “ચૈતન્ય” રસ (આત્મા) છું. (૧૬)

 

बोधमात्रोऽहमज्ञानाद् उपाधिः कल्पितो मया । एवं विमृशतो नित्यं निर्विकल्पे स्थितिर्मम ॥१७॥

“હું” કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) જ છું,પરંતુ,

--“મેં કેવળ અજ્ઞાનથી જ આ ઉપાધિ (દૃશ્ય પ્રપંચ=જગત=દ્વૈત)ની કલ્પના કરી છે”

--આવો નિત્ય વિચાર કરતાં કરતાં,નિર્વિકલ્પ(સમાધિ)-અવસ્થામાં જ મારી સ્થિતિ થઇ ગઈ છે (૧૭)

 

मे बन्धोऽस्ति मोक्षो वा भ्रान्तिः शान्तो निराश्रया । अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितम् ॥१८॥

અહો,મારામાં રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી,

--મને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,અને હવે,

--કોઈ પણ આધાર (આશ્રય) વિના ઉભી થઇ ગયેલી “જગત-રૂપ ભ્રાંતિ” (ભ્રમ) શાંત થઇ ગઈ છે (૧૮)

 

सशरीरमिदं विश्वं न किञ्चिदिति निश्चितम् । शुद्धचिन्मात्र आत्मा च तत्कस्मिन् कल्पनाधुना ॥१९॥

શરીર સાથે આ વિશ્વને (જગતને) કશું લાગતું વળગતું નથી,

--(કારણ શરીરમાં રહેલો) આત્મા તો શુદ્ધ “ચૈતન્ય” માત્ર જ છે,તો પછી,

--જગતની કલ્પના શામાં કરવી ? (જગત મિથ્યા છે)(૧૯)

 

शरीरं स्वर्गनरकौ बन्धमोक्षौ भयं तथा । कल्पनामात्रमेवैतत् किं मे कार्यं चिदात्मनः ॥ २०॥

શરીર-જગત,બંધન-મોક્ષ,સ્વર્ગ-નરક,ભય-

--એ બધું કલ્પના માત્ર જ છે, તો તેની સાથે,

--“હું” કે જે “ચિદાત્મા-રૂપ”(આત્મા-રૂપ)  છું,તેને (તે બધા સાથે) શો સંબંધ? (૨૦)

 

अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क्व रतिं करवाण्यहम् ॥२१॥

અહો, (આ રીતે) આ સમસ્ત જગતના જન-સમુદાયમાં (મનુષ્યોમાં) પણ,

--હવે મને “દ્વૈત” દેખાતું નથી (હું દ્વૈત જોતો નથી-સર્વ જગ્યાએ એક પરમાત્મા દેખાય છે) એટલે,

--મારા માટે તે બધું (જન-સમુદાય) જંગલ જેવું થઇ ગયું છે,તો પછી હું શામાં આસક્તિ રાખું?(૨૧)



      PREVIOUS PAGE
     NEXT PAGE