પ્રકરણ-૨-૨
પ્રકાશ
(જ્ઞાન) એ જ “મારું પોતાનું સ્વ-રૂપ છે”
જેથી “હું” પ્રકાશ થી જુદો છું જ
નહિ,
--એટલે
જગત જયારે પ્રકાશે છે, ત્યારે “હું” (આત્મા) જ જગત રૂપે ભાસે છે. (૮)
જેમ
અજ્ઞાન ને લીધે છીપલા માં ચાંદી ભાસે (દેખાય) છે, દોરડામાં સર્પ ભાસે છે,અને
--સૂર્ય
ના કિરણો માં જેમ મૃગ-જળ ભાસે છે, તેમ,
--અજ્ઞાનથી
જ કલ્પાયેલું જગત મારામાં “હું” માં ભાસે છે.
(૯)
જેમ
માટીમાંથી બનેલો ઘડો માટી માં, પાણીમાં થી ઉપજેલો તરંગ પાણીમાં અને,
--સોનામાંથી
બનેલું કડું સોનામાં જ લય પામે છે (મળી જાય છે) તેમ,
--મારા
માંથી (“હું” માં થી) ઉદ્ભવ પામેલું જગત મારામાં જ (“હું”માં જ) લય પામે છે. (૧૦)
બ્રહ્મા
થી માંડીને તરણા (તૃણ) સુધી નો જગત નો નાશ થાય છે પણ
--“હું”
(અહં-આત્મા) નો વિનાશ થતો નથી,તેવા
--“હું”
ને નમસ્કાર કરું છું, અહો,તે “હું” (આત્મા) કેટલો આશ્ચર્ય સભર છે ?!! (૧૧)
અહો,
હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમન કરું છું,
--હું
દેહધારી હોવાં છતાં “એક” જ છું (હું અને આત્મા એક જ છું),
--જે
નથી કશે જતો કે નથી કશે આવતો,પરંતુ હું જગત ને વ્યાપીને રહ્યો છું. (૧૨)
અહો,
હું, મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને વંદન કરું છું,
--મારા
(મારા આત્મા) જેવો કોઈ ચતુર નથી કે જેના વડે (જે આત્મા વડે)
--આ
શરીર સાથે સંસર્ગ સાધ્યા વિના પણ આ વિશ્વ ચિરકાલ થી ધારણ કરાયું છે. (૧૩)
અહો,
હું મને એટલે કે મારામાં રહેલા “હું” (અહં-આત્મા) ને નમસ્કાર કરું છું,
--જે
“મારા” માં (“હું”-આત્મામાં) કાંઇ જ
(કશુંય) નથી,અને (છતાં ય પણ)
--તે
“મારા”માં (“હું”-આત્મામાં) મન અને વાણી જેવા વિષયોરૂપ બધું યે છે (પણ ખરું) !! (૧૪)