પ્રકરણ-૩-૧
અષ્ટાવક્ર
બોલ્યા-
આત્મા
ને વાસ્તવિક રીતે એક (અદ્વૈત) અને અવિનાશી જાણ્યા પછી,
--આત્મજ્ઞ
(આત્મા ને જાણનાર) અને ધીર એવા તને,
--ધન
ની પ્રાપ્તિ કરવા પ્રત્યે પ્રીતિ કેમ થાય છે ?
(૧)
અહો,જેમ
છીપ ના અજ્ઞાનથી-ભ્રમથી (ભ્રમથી છીપલા પર ચાંદી દેખાય છે-પણ તે ચાંદી નથી)
--તેના
પર દેખાતી ચાંદી કાઢી લેવાનો લોભ (પ્રીતિ) ઉપજે છે, તેમ
--“આત્મા”
ના અજ્ઞાન થી વિષયો-રૂપ ભ્રમાત્મક (ભ્રમ વાળી) વસ્તુમાં (ધન-વગેરેમાં) પ્રીતિ થાય
છે. (૨)
જેમાં
(જે આત્મા માં) જગત, એ સમુદ્ર ના તરંગ ની જેમ સ્ફૂરે છે, (સમુદ્ર ના તરંગો અનિત્ય-અસ્થાયી
છે)
--તે
(આત્મા) “હું” જ છું, (જગત એ તરંગો છે-અનિત્ય છે) એમ જાણ્યા પછી પણ,
--તું
પામર (દીન-મૂર્ખ) મનુષ્ય ની જેમ શા માટે દોડાદોડ કરે છે ? (૩)
આત્મા
ને શુદ્ધ “ચૈતન્ય-રૂપ” અને “અત્યંત સુંદર” જાણવા છતાં,
--જે
મનુષ્ય વિષયોમાં (સ્વાદ-વગેરે) આસકત બને છે,તે
--મલિનતાને
(સુંદર આત્મા ને નહિ પણ ગંદકીને) જ પામે છે.
(૪)
પોતાના
આત્મા ને સર્વ ભૂતો માં (જીવો માં) અને
--સર્વ
જીવો ને પોતાના આત્મા માં જાણનાર મુનિઓ માં પણ
--જો,
મમત્વ (હું-મારું) ચાલુ રહે –તો તે આશ્ચર્ય છે. (૫)
પરમ
અદ્વૈત માં સ્થિર થયેલો અને મોક્ષ ને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ,
--મનમાં
રહેલી સૂક્ષ્મ વાસનાઓ ને આધીન થઇ,વ્યાકુળ બની,
--જો,
કામ ને વશ થાય તો, તે આશ્ચર્ય છે. (૬)
યોગ
થી ઉત્પન્ન થયેલા “જ્ઞાન” ના શત્રુ ને (વાસનાઓ-વિષયભોગને) જાણતો હોવાં છતાં,
--અંતકાળ
ને પ્રાપ્ત થયેલો મનુષ્ય અતિ દુર્બળ બની,