પ્રકરણ-૩-૨
આ
લોક અને પરલોક પ્રત્યે વિરક્ત,
--નિત્ય
અને અનિત્ય વસ્તુ ના ભેદ ને સમજનાર, અને મોક્ષ ની ઈચ્છા રાખનાર,
--
મનુષ્ય ને જો, મોક્ષ થી જ ભય લાગે, તો, તે આશ્ચર્ય છે. (૮)
ધીર
મનુષ્ય, ભોગો ભોગવવા છતાં અને ભોગો ભોગવવાથી પીડાયુક્ત બનતો હોવા છતાં,પણ
--તે
હંમેશના માટે કેવળ “આત્મા” ને જોતો હોય
છે,એટલે,તે,
--નથી
“પ્રસન્ન”(હર્ષમય) થતો કે નથી “કોપિત”
(ગુસ્સે) થતો. (૯)
જે
મનુષ્ય, પોતાના પ્રવૃત્તિ યુક્ત (પ્રવૃત્તિ કરતા)
શરીર ને,
--કોઈ
બીજા ના શરીર ની જેમ જુએ છે,(પોતાનું શરીર પ્રવૃત્તિ કરતુ નથી તેમ જુએ છે)
--એવો
મહાત્મા પુરુષ “સ્તુતિ” થી (વખાણથી) કે નિંદાથી કેવી રીતે ક્ષોભ પામે ? (૧૦)
આ
સમસ્ત જગત એ ’માયા માત્ર” (માત્ર માયા જ
છે) એમ સમજી ને જગત ને જોનાર ને,
--જગત
ની કોઈ કુતુહુલતા રહેતી નથી,તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે,અને તેવા મનુષ્ય ને,
--જો
મૃત્યુ પાસે આવે, તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ? (૧૧)
જે
મહાત્મા નું મન નિરાશા ના પ્રસંગે પણ,
--તદ્દન
નિસ્પૃહ (અનાસક્ત) રહે છે,તેવા,
--આત્મજ્ઞાન
થી સંતુષ્ટ મહાપુરુષ ની તુલના કોની સાથે થઇ શકે ? (૧૨)
આ
દૃશ્ય-જગત,સ્વ-ભાવ થી કંઈ જ નથી, (જગત મિથ્યા છે) –એમ જાણનાર,
--એ
શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે –
--આ
ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે?? (૧૩)
વિષય
વાસના રૂપ મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે,
--જે
દ્વંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે,તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી,
--તે
નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો. (૧૪)
પ્રકરણ
-૩-સમાપ્ત-અનુસંધાન પ્રકરણ-૪