Mar 12, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૬


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૫-કર્મ સન્યાસયોગ

અર્જુન –તમે કર્મોના સન્યાસ અને કર્મયોગ બન્નેની પ્રશંસા કરો છો,માટે આ બન્ને માં થી સારું શું તે મને નિશ્ચિતપણે કહો.(૧)

કૃષ્ણ---આ બન્ને મોક્ષદાયક છે,પરંતુ બન્નેમાંથી કર્મયોગ –કર્મસન્યાસ યોગ કરતાં વધારે ઉંચો છે (૨)

અજ્ઞાનીઓ જ સાંખ્ય અને (કર્મ)યોગ ને જુદા કહે છે.જો કોઈ પણ - એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો તેને બન્ને નું ફળ મળે છે (૪)

ઇન્દ્રિયોના બધા કર્મો કરતો હોવા  છતાં પણ  –‘ઇન્દ્રિયો પોતપોતાના વિષય માં પ્રવૃત થાય છે’ એમ સમજીને ‘હું કાંઈ જ કરતો નથી’ એવું યોગયુક્ત તત્વવેતા માને  છે.(૮-૯)

જગત માટે ઈશ્વર –કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી,અને  નથી કર્મ અને ફળને જોડતો. કાર્ય કરનાર પ્રકૃતિ(માયા) છે. (૧૪)

ઈશ્વર નથી કોઈના પાપ લેતો કે નથી કોઈના પુણ્ય લેતો .(૧૫)

પરબ્રહ્મ માં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે,જે પરબ્રહ્મને જ  પોતાનો આત્મા માને છે,અને પરબ્રહ્મ માં જ પૂર્ણ નિષ્ઠા રાખે છે  એવા યોગી ને આત્મજ્ઞાન નું સુખ મળે છે.અને તેના પાપ નષ્ટ થાય છે.અને તે એવા સ્થળે જાય છે જ્યાંથી પાછા ફરવાનું રહેતું નથી.(૧૭)

બ્રાહ્મણ,ગાય,કૂતરાં અને ચાંડાલ ,--આ સર્વ માં આત્મનિષ્ઠ પુરુષ બ્રહ્મ ને જુએ છે.(૧૮)

બાહ્ય  વિષયોમાં આશક્તિ નહી હોવાથી તેને આત્મા માં સુખ જડે છે.  અને બ્રહ્મ ના ચિંતન માં રહીને તે અનંત સુખ મેળવે છે.(૨૧)

ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગ થી થનારા ભોગો (સુખાનુભવ)—તે સર્વ –ઉત્પત્તિ અને નાશ ને આધીન હોવાથી તે પાછળથી દુઃખ ના કારણ બને છે.  એટલે જ્ઞાની પુરુષો તેમાં આનંદ માનતા નથી.(૨૨)

બાહ્ય વિષયો (શબ્દો-વગેરે)ને હૃદય માંથી બહાર કાઢી નાખી,----
ભ્રકૃટી માં દ્રષ્ટિ સ્થાપન કરી---
નાકમાં પ્રાણ-અપાન ને સમાન કરી ,----
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ ને પોતાના વશ માં લઇ ,---
ઈચ્છા ,ભય,અને ક્રોધ નો નાશ કરી ---
જે  યોગી મોક્ષ ને જ પોતાનું અંતિમ ધ્યેય માને  છે,તે સદા મુક્ત જ છે.(૨૭-૨૮)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1