Apr 2, 2012

ગંગા સતી અને પાન બાઈ


ગંગા સતી અને પાન બાઈ --સાસુ - વહુ હતા.
...
ગંગા સતી અહી પાનબાઈ ને કહે છે.અને પોતાને પણ કહે છે.
એટલે જાણે ઉપદેશ નથી લાગતો,પણ એક જાત નું માન પેદા થયા વગર રહેતું નથી.

અહી સતગુરુ એટલે સનાતન સત્ય ને પણ કહી શકાય ????
...................................................................

મેરુ તો ડગે,જેના મન નાં ડગે પાનબાઈ ,
માર ને ભાંગી પડે ને બ્રહ્માંડ જી,
વિપત્તિ પડે ને તોયે વણસે નહી,
સોઈ હરિજન ના પરમાણ જી.

ચિત્ ની વરતી જેની સદાય નિરમળ,
ને કોઈ ની કરે નહી આશ જી,
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનુંમાં વિશ્વાસ જી.

હરખ અને શોક ની આવે નહિ હેડકી,
ને આઠે પહોર રહે આનંદ જી,
નીત રે નાચે સત્સંગ માં ને,
તોડે માયા કેરા ફંદ  જી.

તન મન ધન જેને પ્રભુ ને સમરપિયા
તે નામ નિજારી નર ને નાર જી
એકાંતે બેહીને આરાધના માંડે તો
અલખ પધારે એને દુવારજી.

સદગુરુ વચન માં શુરા થઇ ચાલે
ને શીશ તો કર્યા કુરબાન જી,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં
જે ને મેયલા અંતર ના માન જી.
...............................
More Info.On
http://aksharnaad.com/2010/12/24/santvani-vichar-gosthi-part-6/