Dec 1, 2012

રામાયણ-૩૧

      PREVIOUS PAGE
     NEXT PAGE


પ્રાતઃકાળ માં આંગણામાં ભીડ થઇ છે.બધાને આશા છે કે રામ-સીતા અયોધ્યામાં પાછા આવશે.
ભરતજી એ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે ભલે આવે,બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે.


વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતી સાથે આવ્યા છે અને રથ માં વિરાજ્યા છે.
આજે કૈકેયી નો કળિ ઉતરી ગયો છે અને તે પણ  રામના દર્શન કરવા તૈયાર થયાં છે.
ભરતજી માટે સુવર્ણ  નો રથ તૈયાર કર્યો છે,પણ તે રથમાં બેસવાની ના પડે છે. લોકો કહે છે કે –તમે રથમાં નહિ બેસો તો અમે પણ ચાલીશું. ત્યારે કૌશલ્યા મા ભરત પાસે આવી ને કહે છે-કે-
“બેટા તું રથ માં નહિ બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથ માં નહિ બેસે,રામવિયોગ માં કેટલાંક તો અન્ન લેતા નથી, માત્ર ફળાહાર કરે છે, રામવિયોગ માં સર્વ દુઃખી છે,સર્વ ને કષ્ટ થશે.”
કૌશલ્યા ની આજ્ઞા થી ભરત રથ માં બેઠા છે. ભરતે પણ આભૂષણો ઉતારી વલ્કલ વસ્ત્રો પહેર્યા છે.

પહેલે દિવસે ભરતજી શ્રુંગવેરપુર પાસે આવ્યા છે.
રાજા ગુહક બેઠા હતા. સેવકો એ કહ્યું કે –રાજા ભરત આવે છે,સાથે મોટી સેના હોય તેવું લાગે છે.
ગુહકે વિચાર્યું-કે ભરત, રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે,નહિતર સેનાની શું જરૂર ?
તે કૈકેયી નો પુત્ર છે, તે શું ન કરે ? પોતાનું રાજ્ય નિષ્કંટક કરવા માટે તે યુદ્ધ ની ઈચ્છા થી જાય છે.

ગુહક ના મન માં આવો કુભાવ આવ્યો,ભીલો ને તૈયાર થવાની આજ્ઞા આપી છે,કહ્યું કે-
“સામે પાર થી કોઈ આ પાર નાં આવે,અમે જીવીએ છીએ ત્યાં સુધી ભરત ને અમે ગંગા પાર નહિ ઉતારવા દઈએ” ત્યાં ગુહક નો વૃદ્ધ મંત્રી આવ્યો અને કહ્યું કે-ભરતજી સાથે યુદ્ધ નહિ પણ મૈત્રી થાય તેવું મને લાગે છે, તમે યુદ્ધ ન કરો પણ તેની પરીક્ષા કરો-કે –તે પ્રેમ થી રામજી ને મળવા જાય છે-કે યુદ્ધ કરવા જાય છે.

ગુહક રાજાએ હવે વિચાર કર્યો કે –મંત્રી ની વાત સાચી હોય તેવું લાગે છે,એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. ભરત ના “ભાવ”  ની પરીક્ષા કરવા ત્રણ પ્રકારની સામગ્રી તેણે સાથે લીધી.
કંદમૂળ-સાત્વિક,મેવા-મીઠાઈઓ-રાજસિક, અને માંસ-મદિરા-તામસિક.
ગુહકે વિચાર્યું-કે જેના પર ભરતની પહેલી નજર પડશે તેના પર થી તેના પરથી તેનો “ભાવ”  કેવો છે તે ખબર પડી જશે. મંત્રી સાથે ગુહક સામગ્રી લઇ ને આવ્યો છે. વશિષ્ઠ ને ગુહકે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.

વશિષ્ઠે પાછળ ભરત ની સામે જોઈ કહ્યું –કે-ભરત,- રામજી નો ખાસ સેવક તમને મળવા આવ્યો છે.
મેં સાંભળ્યું છે કે મારા રામજી ની તેણે બહુ સેવા કરી છે.
“રામજી નો સેવક” એ શબ્દ કાને પડતાં જ ભરતજી રથ માંથી કુદી પડ્યા છે,ગુહક ને ભેટી પડ્યા છે.
ગુહક ની સાથે સામગ્રી છે-પણ કોઈ ની સામે ભરતે નજર કરી જ નહિ.ભરતજી ની નજર માત્ર રામ  માં જ છે,ભરતજી નિર્ગુણ સ્થિતિ માં છે.રામજી ના સ્મરણ માં તે તન્મય છે. તેમના મુખ માંથી રામ-રામ શબ્દ
નીકળતો હતો. ગુહક ને ખાતરી થઇ કે –ભરતજી લડવા નહિ પણ રામજી ને મનાવવા જાય છે.

ગુહકે સર્વ ભીલો ને આજ્ઞા કરી કે-અયોધ્યાની પ્રજા નું સ્વાગત કરો. ભીલ લોકો ફળ-ફળાદિ લઇ આવ્યા.

બીજા દિવસે ભરતજી ગંગા ના તીરે આવ્યા છે,ગંગાજી ને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું-કે-
મા આજે માગવા આવ્યો છું,મારી ભાવના છે,મને વરદાન આપો,મને રામ-ચરણ પ્રેમ નું દાન કરો.
મારો પ્રેમ દિવસે દિવસે વધે.
તે વખતે ગંગાજી માં થી ધ્વનિ થયો-ચિંતા ન કરો,સર્વ નું કલ્યાણ થશે. ગંગાજી એ આશીર્વાદ આપ્યા છે.

સીસમ ના જે ઝાડ નીચે રામજી એ મુકામ કરેલો તે ગુહક બતાવે છે, ભરત રામ-પ્રેમ માં પાગલ છે,
તે વૃક્ષ ને ભેટી પડ્યા છે. “મારા રામ આ ઝાડ ની છાયા માં વિરાજતા હતા”
દર્ભ ની પથારી જોતાં ભરત નું હૃદય ભરાયું છે. “જેના પતિ શ્રીરામ છે,એ સીતાજી મારે લીધે દુઃખ સહન કરે છે, હે, રામ. એ બધાં દુઃખ નું મૂળ હું છું”

      PREVIOUS PAGE
     NEXT PAGE