Apr 27, 2020

ભાગવત રહસ્ય -૨૫૭

શબરીનું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન રૂપ છે.આખું જીવન ભગવાનને શોધનાર ને-ભગવાનની રાહ જોનારને- ભગવાન જરૂર મળે જ છે.તે પછી રામજીએ –શબરીને પૂછ્યું-કે-તારી કોઈ ઈચ્છા છે ?તારે માગવું હોય તે માગ.શબરીએ રામજીને વિનંતી કરી કે-આ પંપા સરોવરનું જળ બગડી ગયું છે,તેને આપ સુધારો,આપ તેમાં સ્નાન કરો તો તે જળ શુદ્ધ થાય.
બન્યું એવું હતું કે એક વખત શબરી બુહારી કરતાં હતા,તે વખતે પંપા સરોવરમાં નાહીને પાછા આવતા એક ઋષિને શબરીનું ઝાડું અડી ગયું.એટલે ઋષિ ખૂબ ગુસ્સે થયા અને શબરીને લાત મારીને પાછા 
પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા.શબરીના અપમાનથી એક આશ્ચર્ય થયું.જ્યાં તે ઋષિ –સરોવરમાં
સ્નાન કરવા ગયા તો તે જ વખતે સરોવરનું પાણી લોહીના રંગનું બની ગયું.
પંપા સરોવરનું જળ બગડી ગયું. શબરી પોતાના થયેલા અપમાનથી વિલાપ કરે છે.

ઋષિઓને વાત સમજાતી નહોતી કે જળ કેમ બગડી ગયું? એ બધા તો એમ જ સમજતા હતા કે માતંગ ઋષિએ અછૂત કન્યાને આશ્રમ માં રાખી તેથી જળ બગડી ગયું છે.
શબરી નો મહિમા વધારવા રામજી એ ત્યારે કહ્યું કે-મારા સ્નાનથી કશું થવાનું નથી,તે જળને સુધારવાની મારી શક્તિ નથી,પણ જો શબરીના ચરણ ધોઈ –તેનું ચરણજળ જો સરોવરમાં પધરાવવામાં આવશે તો જ તે જળ શુદ્ધ થશે.શબરીએ પંપા સરોવરમાં જેવું સ્નાન કર્યું કે પાણી શુદ્ધ થઇ ગયું.

રામજીએ તે પછી પ્રભુમાં પ્રેમ જાગ્રત કરવાનાં નવ સાધનો બતાવ્યા છે.ઉપદેશ કર્યો છે.
--પ્રભુપ્રેમી મહાપુરુષો નો સત્સંગ કરો.--અધિકારી મહાપુરુષોને મુખેથી ભગવાનની કથા સાંભળો
--પરમાત્માના ગુણોના વખાણ કરો.સ્તુતિ કરો.--કોઈની નિંદા ના કરો—--સંતની-સદગુરૂની સેવા કરો.
--યમ-નિયમોનું પાલન કરો-ઉપવાસ-વગેરે કરો --ઘરમાં ભગવતસ્વરૂપ પધરાવી તેની સેવા કરો.
--કોઈ ગુરૂ પાસેથી મંત્ર ગ્રહણ કરી તેને પકડી રાખવો
--સર્વ માં મારા ઇષ્ટ દેવ વિરાજ્યા છે-તેવો ભાવ રાખવો.

રામે શબરીનો ઉદ્ધાર કર્યો.શબરી રામજીના દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાં સમાયા છે.
રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા છે.ઋષ્યમૂક પર્વત પાસે આવ્યા –કે જ્યાં સુગ્રીવ રહે છે.
ત્યાં પ્રથમ હનુમાનજી નું મિલન થાય છે. હનુમાનજીએ પૂછ્યું-“આપ કોણ છો ?”
ત્યારે રામજી ઓળખાણ આપે છે.હનુમાનજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા,સ્તુતિ કરી છે. પછી કહે છે-કે-
આ પર્વત પર સુગ્રીવ રહે છે-તે આપનો દાસ છે.તેની સાથે મિત્રતા કરો.

રામ-સુગ્રીવની મૈત્રી હનુમાનજી દ્વારા થાય છે, જીવની ઈશ્વર સાથે મૈત્રી ન થાય-
ત્યાં સુધી જીવન સફળ થતું નથી,અને એ મૈત્રી હનુમાનજી વગર (બ્રહ્મચર્ય વગર) થતી નથી.
હનુમાનજી વકીલાત ના કરે ત્યાં સુધી રામચંદ્રજી અપનાવે નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE