Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ આત્મા બીજા-કોઈના પ્રકાશ ની લગાર પણ દરકાર કર્યા વિના પોતાની મેળે જ ચારે બાજુ પ્રકાશે છે,
તેથી તે સ્વયં-જ્યોતિ અને ચૈતન્ય-સ્વ-રૂપ છે.
આવા આત્મા ને પ્રકાશિત થવામાં બીજાના પ્રકાશ ની જરૂર નથી.  (૬૨૧)

જેમ,સૂર્ય,ચંદ્ર અને વીજળીઓ પ્રકાશિત કરી શકાતાં નથી,તો,
અમુક મર્યાદિત પ્રમાણ ની જ કાંતિ-વાળો અગ્નિ તેમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? (ન જ કરી શકે)
તેમ,આ આત્મા કે જેના પ્રકાશ થી આ સમગ્ર જગત પ્રકાશે છે, તેને જગત પ્રકાશિત ના કરી શકે,
અને તે આત્મા જ સર્વ દિશાઓમાં પોતાની મેળે જ સ્ફૂરે છે. (૬૨૨)

આત્મા સુખ-રૂપ છે,તેથી આનંદ એ જ પોતાનું (આત્માનું) લક્ષણ છે,
આ આત્મા બીજાઓના પ્રેમ નું સ્થાન છે,તેથી તે “સુખ-રૂપ” છે. (૬૨૩)

સર્વ પ્રાણીઓને “સુખનાં કારણો” ઉપર જે પ્રેમ હોય છે,તે અમુક અવધિ (સમય) સુધી નો જ હોય છે,
પરંતુ પોતાના આત્મા ઉપર જે પ્રેમ હોય છે તેનો તો કોઈ કાળે અવધિ (સમય) હોતો જ નથી (૬૨૪)

જેની ઇન્દ્રિયો ક્ષીણ થઇ હોય,જે ઘરડો થઇ ગયો હોય,અને જેનું મરણ આવી પહોંચ્યું હોય,
તેને પણ જીવવાની આશા હોય છે,કારણકે આત્મા સૌથી વધારે વહાલો છે. (૬૨૫)

આથી જણાય છે કે-સર્વ પ્રાણીઓને પોતાનો આત્મા જ પરમ પ્રેમનું સ્થાન છે,
અને આત્મા સિવાય બધી વસ્તુઓ બાકી તરીકે સ્વીકારવા યોગ્ય બને છે.
(એટલે કે આત્મા પહેલો અને તે પછી બીજી બધી વસ્તુઓ)    (૬૨૬)

આ આત્મા જ પુત્ર કરતાં અને ધન કરતાં પણ વધારે વહાલો  છે.
બીજી સર્વ વસ્તુઓથી પણ આ આત્મા અતિશય અંતર નો છે. (૬૨૭)

વિપત્તિ માં કે સંપત્તિમાં મનુષ્યોને જેવો આત્મા પ્રિય હોય છે તેવો બીજો કોઈ પદાર્થ પ્રિય હોતો નથી.,
બીજી જે વસ્તુ પ્રિય તરીકે મનાઈ હોય છે,તે પણ આત્મા ની પેઠે સદાકાળ પ્રિય રહેતી નથી. (૬૨૮)

પ્રાણીઓ ને આત્મા જ સૌ કરતાં વધારે પ્રિય હોય છે,અને સ્ત્રી,પુત્ર,મિત્રો,ઘર,ધન વગેરે પદાર્થો અને
વેપાર,ખેતી,ગૌપાલન ,રાજસેવા,વૈદું –વગેરે જાત જાતની ક્રિયા ઓ આત્મા માટેજ ઉપયોગી છે.(૬૨૯)

વળી,પ્રવૃત્તિ,નિવૃત્તિ અને બીજી જેટલી પણ ચેષ્ટાઓ કરવામાં આવે છે,તેપણ આત્મા માટેજ લોકો કરે છે,
કોઈ બીજ ને માટે કરતુ નથી,આથી જણાય છે કે-આત્માથી બીજો કોઈ વધારે પ્રિય નથી. (૬૩૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE