Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧૬


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

અહીં ઉત્તમ પંડિતોએ (જ્ઞાનીઓએ) મૂઢ (અજ્ઞાની) લોકો ની પેઠે,એવી શંકા કદી કરવી નહિ કે,
વેદોક્ત (વેદે કહેલા) નિત્ય-નૈમીત્તિકાદિ –કર્મો નો ત્યાગ મુમુક્ષુ એ શા માટે કરવો જોઈએ?
(કદાચ કોઈ ને શંકા થાય તો) આ શંકા નું સમાધાન એ પ્રમાણે છે કે-
નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નું ફળ જુદું છે,અને શ્રવણ નું ફળ  જુદું છે.
આ બંને ની સામગ્રી જુદી છે અને બંને ના અધિકારીઓ પણ જુદા છે.

(સ્વર્ગાદિ) કામના વાળો પુરુષ,નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નો અધિકારી છે,અને
નિષ્કામ પુરુષ શ્રવણાદિ-નો અધિકારી છે.  (૧૭૬-૧૭૭-૧૭૮)

નિત્ય-નૈમીત્તિકાદિ કર્મો નો અધિકારી,તે, તે કર્મો(નિત્ય-નૈમીત્તિકાદિ) ની ઇચ્છાવાળો અને સમર્થ હોવો જોઈએ.એમ વેદમાં સકામ કર્મ-નિષ્ઠ નું લક્ષણ કહ્યું છે.અને
“લોક ની પરીક્ષા કરી ને શ્રવણાદિ કર્મ કરનારો” એમ મોક્ષને ઈચ્છનારનું લક્ષણ કહ્યું છે. (૧૭૯)

--મોક્ષ નો અધિકારી સન્યાસી છે અને કર્મ નો અધિકારી ગૃહસ્થ છે.
--કર્મ કરવામાં સાધન કર્મ નું સાધન (વેદિકા,સ્ત્રી -વગેરે) જરૂરી છે,જયારે
  શ્રવણ કરવા ઇચ્છતા મુમુક્ષુ ને ગુરૂ વિના કોઈ સાધન ની જરૂર નથી.
--કર્મથી તો અહંકાર ઉપરાઉપરી ઘણો જ વધ્યે જાય છે,પણ
  શ્રવણ થી તો પ્રતિક્ષણ અહંકારનો નાશ થતો જાય છે.
--કર્મ દર્શાવનારું શાસ્ત્ર પ્રવૃત્તિ માર્ગે લઇ જાય છે,
  અને જ્ઞાન-શાસ્ત્ર તો નિવૃત્તિ માર્ગ તરફ દોરે છે.  (૧૮૦-૧૮૧-૧૮૨)

કર્મના સાધનોમાં તથા જ્ઞાનના સાધનોમાં તેમજ કર્મના અધિકારીઓમાં અને જ્ઞાનના અધિકારીઓમાં,
વિપરીતતા રહેલી છે, અને એ બંનેની સામગ્રી ને તથા તે બનેના અધિકારીઓને-
કોઈ કાળે એકબીજાની જરૂર પડતી નથી.
વળી ઉત્તમ પ્રકારનું જ્ઞાન સર્વોત્કૃષ્ટ બ્રહ્મને પમાડે છે,પણ કર્મ તો તેનાથી નીચેની ગતિઓમાં લઇ જાય છે.
તેથી એ બંનેને (જ્ઞાન ને કર્મ વાળાઓ ને) એક બીજાની જરૂર કેવી રીતે થાય?
અથવા જેમ અગ્નિ અને ઘાસ ની ગંજી સાથે રહી શકે નહિ,અને તેજ તથા અંધકારનો સહ-યોગ કદી હોય જ નહિ,તેમ જ્ઞાન અને કર્મ નો સહ-યોગ (એકઠા રહેવું) કદી હોઈ શકે જ નહિ.
આમ કર્મ એ જ્ઞાન નું વિરોધી છે,તેથી એ કર્મ જ્ઞાન પર શું ઉપકાર કરે?(ન જ કરે)
જે કર્મ ના સમીપ રહેવાથી (જવાથી) પણ જ્ઞાન પોતે જરાયે વધુ વિકાસ પામતું નથી (૧૮૩-૧૮૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE