Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જે આનંદ “બિંબ-રૂપ” છે તે જ આનંદ-રૂપ લક્ષણ-વાળો “આત્મા” છે.
એ શાશ્વત,અદ્વૈત,પૂર્ણ અને નિત્ય છે, તે “એક” જ છે તો પણ “નિર્ભય” છે. (૬૫૫)

એ બિંબ-રૂપ આનંદ તેના પ્રતિબિંબ-રૂપ અને આભાસ રૂપ આનંદ પરથી જાણી શકાય છે.
જે પ્રતિબિંબ હોય છે તેનું મૂળ બિંબ જ હોય છે,બિંબ વગર પ્રતિબિંબ કદી હોતું નથી. (૬૫૬)

આ રીતે જે બિંબ-રૂપ આનંદ છે,તે એના પ્રતિબિંબરૂપ આનંદ ઉપરથી જણાય છે.
અને એ જ યુક્તિથી પંડિત લોકો તે બિંબ-આનંદ ને જાણે છે,પ્રત્યક્ષ કદી અનુભવતા નથી (૬૫૭)

આવો પૂર્વોક્ત લક્ષણવાળો (બિંબ-આનંદ)આત્મા,અવિદ્યાના કાર્ય,શરીર,ઇન્દ્રિય-આદિ સમુદાયમાં
જાગ્રત અને સ્વપ્ન માં પણ હોય ચેજ,છતાં તે પ્રત્યક્ષ જાણતો નથી.
પરંતુ,દુઃખ-રૂપ,શરીર (સ્થૂળ અને સૂક્ષ્મ) જયારે લય પામે છે,ત્યારે
“સુષુપ્તિમાં” અંદરના આનંદરૂપ લક્ષણવાળો એ આત્મા પ્રકાશે છે. (૬૫૮-૬૫૯)

એ “સુષુપ્તિ” માં કોઈ વિષય હોતો નથી તેમ જ બુદ્ધિ-વગેરે પણ કંઈ હોતું નથી,
કેવળ,આનંદ-સ્વ-રૂપ અને એકલો આત્મા જ રહેલો હોય છે.  (૬૬૦)

ઉંઘી ને ઉઠેલા સર્વ લોકો,આ આત્માને માત્ર સુખ-રૂપે (હું સુખે થી સૂતો હતો-એવા અનુભવ-રૂપે)
જણાવે જ છે,માટે એમાં સંશય કરવાને યોગ્ય નથી.  (૬૬૧)

ઉંઘી ને ઉઠેલા,તે પોતે,પણ,”હું સુખે થી ઊંઘતો હતો” એમ,જે,જાગ્યા પછી કહે છે,તે ,
તેમણે  આત્મા ને સુખરૂપે અનુભવ કર્યો તે જ કહે છે.(એમ આત્મા સર્વ ને પ્રત્યક્ષ થાય છે જ.) (૬૬૨)

પૂર્વ-કાળ ના કોઈ “વાદી” એ-“દુઃખ નો અભાવ એ જ સુખ છે” (એટલે સુખ-રૂપે આત્મા ના હોઈ શકે)
એમ જે વચન કહ્યું છે તે ખોટું અને અસાર છે.તેણે ઉપનિષદ ની ગંધ પણ લીધી નથી.  (૬૬૩)

દુઃખ નો અભાવ તો માટીનું ઢેફું-વગેરે માં પણ છતાં તેમાં સુખ નો લેશ પણ અનુભવ થતો નથી,
આ વાત સર્વ લોકો ને પ્રત્યક્ષ જ છે.  (૬૬૪)

શ્રુતિ પણ “આ આત્મ સત્ય-સ્વ-રૂપ જ છે” એમ આરંભ કરી ને,
“આ આત્મા સત્ય-રૂપે અસ્તિત્વમય છે અને કેવળ ચૈતન્યમય તથા આનંદ-સ્વ-રૂપ જ છે.”
એમ કહી આ પ્રત્યગાત્મા  (આત્મા) ને કેવળ આનંદમય-સ્વરૂપ કહે છે. (૬૬૫)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE