Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૯

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

તેમ જ એ આનંદ એ “મન” નો પણ ધર્મ નથી.
કેમકે જો (આનંદ આપનાર )પદાર્થ હોતો નથી તો આનંદ પણ (મનમાં ક્યાંય) દેખાતો નથી.
કોઈ કદાચ એમ કહે કે-
આનંદ ને પ્રગટ કરનાર પદાર્થ જયારે હોય નહિ તો પ્રગટ થનારો આનંદ ઉત્પન્ન થતો નથી.
તો તેની સામે એ કહે છે કે-કોઈ વેળા આનંદ પેદા કરનાર પદાર્થ સામે હોય તો પણ
આનંદ ઉત્પન્ન થતો નથી તેનું કેમ?

આનંદ પ્રગટ કરનાર પદાર્થ હોય તેમ છતાં તેમાંથી પ્રગટ થનારો (આનંદ)ઉત્પન્ન થાય નહિ,
એ તો કોઈને પણ માન્ય જ નથી.
કોઈ કદાચ એમ કહે કે-આનંદ ને પ્રગટ કરનાર વસ્તુ હોય પણ,તેમાંથી પ્રગટ થનારો આનંદ જો ના જણાય તો,તેને અટકાવનાર દુષ્ટ-દૈવ વગેરે કોઈ કારણ હશે.
તો તેના જવાબ માં કહે છે કે-આનંદ ને અટકાવનાર જો દુષ્ટ-દૈવ જ કારણ હોય તો એ પ્રિય વસ્તુ ની
પ્રાપ્તિ જ ના થાય.પણ પ્રિય વસ્તુ નો લાભ થયો છે-તો દુષ્ટ દૈવ સિદ્ધ થતું નથી.

માટે આનંદ એ મન નો ધર્મ નથી, અને તે જ રીતે
આત્મા તો નિર્ગુણ હોવાથી આત્માનો ધર્મ પણ હોઈ શકે નહિ.
પણ પુણ્ય ના સાનિધ્ય થી,ઇષ્ટ વસ્તુ સમીપ માં પ્રાપ્ત થવાથી,સત્વગુણ જેમાં મુખ્ય છે તેવા ચિત્તમાં,
જેમ,સ્વચ્છ પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે,તેમ આનંદરૂપ લક્ષણવાળો,
આત્મા જ પ્રતિબિંબ રૂપે (તે ચિત્તમાં) પડે છે.(૬૪૩-૬૪૭)

ચિત્તમાં જે પ્રતિબિંબ-રૂપે પડેલો હોય છે,એવો તે આનંદ આભાસ-રૂપે જ હોય છે.
કેમકે પુણ્ય ની વધઘટ થવાથી,આનંદ પોતે પણ વધે છે ને ઘટે છે. (૬૪૮)

ચક્રવર્તી રાજાથી માંડી બ્રહ્મા સુધી ના જીવો ને જે આનંદ હોય છે,તેને શ્રુતિએ નાશવંત જણાવ્યો છે.
કેમ કે તે ઉતરોત્તર ચઢિયાતો હોવા છતાં “કારણ”  નો નાશ થતાં નાશ પામે છે.
એ બધો વિષયો નો આનંદ છે.તેમાં “સાધન-રૂપે” કેવળ પુણ્ય જ હોય છે.

જે પુણ્ય કરનારાઓ વિષયો નો આનંદ ભોગવે છે, તેઓને એ આનંદ ના ભોગ-કાળે પણ કોઈ વેળા
દુઃખ ને ભોગવવું પડે છે.
માટે વિષયો ના સંબંધવાળું સુખ તે વિષના સંબંધ વાળા અન્ન જેવું છે.
એ સુખ ભોગ ના સમયે (કોઈકવાર) દુઃખ અને ભોગના અંતે દુઃખ જ આપે છે.કેમકે-
બ્રહ્મા વગેરે પદને પામેલા જીવો ને પણ વધારે ને ઓછું સુખ હોય છે.અને એ નાશવંત છે,
તેથી ભવિષ્યમાં થનારા નાશનો પણ ભય રહે છે.
તેમ જ બીજાનું વધારે સુખ જોઈને પણ દુઃખ થાય છે.
માટે વિદ્વાન પુરુષોએ વિષયો નું સુખ ઈચ્છવા યોગ્ય નથી.  (૬૪૯-૬૫૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE