Jul 21, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-226


તે અવિદ્યા અંદરથી શૂન્ય હોવા છતાં સાર-વાળી જણાય છે.તે કોઈ-કોઈ ઠેકાણે રહેલી નથી તો પણ સર્વ સ્થળે દેખાય છે,પોતે જડ છે છતાં ચૈતન્ય-રૂપે રહીને મન ને ચંચળ કરે છે.
તે પોતે પણ ચંચળ હોવા છતાં તે સ્થિર છે તેવી શંકાને પેદા કરે છે.
તેનો અગ્નિ જેવો શુદ્ધ વર્ણ દેખાય છે પણ તે કાળી મેંશ જેવી મલિન છે.
તે,પરમાત્મા ના પ્રસાદથી (કૃપાથી) તે નૃત્ય કરે છે,પણ પરમાત્મા નો સાક્ષાત્કાર થવાથી તેનો નાશ થાય છે.
તે અવિદ્યા,વાંકી છે,વિષ-મયી છે,પાતળી છે,કોમળ છે,કર્કશ છે,ચંચળ છે,લંપટ છે,તૃષ્ણા-રૂપ છે,અને
કાળી સાપણ જેવી છે.તેના પર સ્નેહ (આસક્તિ કે રાગ) ના રાખવાથી તેનો ક્ષય થાય છે.
તે વીજળી ના જેવી,વાંકી તથા તેના પર મુગ્ધ થયેલા ને ત્રાસ આપનારી છે,અને
જેમ વીજળી ને પકડી શકાય નહિ તેમ તે પકડી શકતી નથી,
ક્ષણવારમાં ઉત્પન્ન થઈને તે લય પામી જાય છે,અને શોધવાથી પણ તે હાથમાં આવતી નથી.
તેની પ્રાર્થના ના કરી હોવા છતાં પાસે આવેલી તે અવિદ્યા રમણીય લાગતી હોવા છતાં અનર્થ-રૂપ છે.
ભ્રમ કરનારી તે અવિદ્યાનું અત્યંત વિસ્મરણ થવાથી તે અતિ સુખ-રૂપ લાગે છે (અને લલચાવે છે)
પણ પાછો તેનો તર્ક થી વિચાર કરવાથી,ખરાબ સ્વપ્ન ની જેમ ભય પણ કરાવે છે.
તે અવિદ્યા,એ મુહૂર્ત (ક્ષણ) માત્રમાં-
પોતાના પ્રતિભાસ-માત્ર થી ત્રણ જગતને ઉત્પન્ન કરીને ધારણ કરે છે અને તેનો લય પણ કરે છે.

જેમ,સ્ત્રીના (કાન્તાના) સુખમાં આનંદ માનનાર મનુષ્યો ને તેનો (સ્ત્રીનો) વિયોગ થાય ત્યારે તેને
એક રાત્રિ પણ એક વર્ષ ની થઇ પડે છે,તેમ,દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઇ પડે છે,
એમ જ,આ,અવિધાને લીધે જેને ભ્રમ થાય છે,
તેવા મનુષ્યો ને સુખ નો લાંબો કાળ પણ ક્ષણવારમાં ચાલ્યો જાય છે.
પ્રકાશ થવાના “કાર્ય” માં જેમ "દીવા નું કર્તા-પણું" છે (દીવો કાર્ય કરે એટલે પ્રકાશ થાય છે-એટલે તે કર્તા છે) પણ વાસ્તવિક રીતે તે કર્તા-પણું નથી.
તેમ,તે  અવિદ્યા મનોરાજ્ય ની જેમ આકારવાળી છતાં અસત્ય અને કોઈ પણ કામમાં ઉપયોગી નથી.
તે લાખો શાખા-વાળી હોવા છતાં પરમાર્થમાં ઉપયોગી નથી.અનેક પ્રકારના આડંબરવાળી તે (અવિદ્યા)
મુગ્ધ (અજ્ઞાની) મનુષ્યો ને મોહ પમાડે છે.પણ જ્ઞાનીને મોહ પમાડી શકતી નથી.
અવિદ્યા એ પાણીના બનેલા પરપોટા જેવી છે,એટલે કે થોડોક સમયમાં જ નાશ પામે છે.પણ તેનો પ્રવાહ નિત્ય છે.તે જડ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળ ની પેઠે હાથમાં આવતી નથી.
આ અવિદ્યા એ દાહ (દાઝવું કે-દુઃખ કે ખેદ) ને પેદા કરે છે,જો કે પોતે અંદર રસ (પરમાત્મા)ને રાખે છે,
અને જગતમાં ઘૂમી વળે છે.અને નિઃસાર એવા સંસારના સંસ્કાર થી દૃઢ થયેલી છે.
તે વૃદ્ધિ પામતી હોય તેમ મનુષ્યો જુએ છે,પણ તે વૃદ્ધિ પામતી નથી પણ ફેલાયેલી છે.

જેમ ઝેર નો લાડુ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે દુઃખ-દાયી છે,
તેમ,અવિદ્યા પણ ઉપરથી મધુર જણાય છે પણ અંતે અનર્થ કરનારી છે.
જેમ વાહનમાં બેઠેલા મનુષ્ય ને ઝાડનું ઠુંઠું પણ હાલતું દેખાય છે,
તેમ મોહ થી અવિદ્યા ઉત્પન્ન થાય છે.ને સ્વપ્ન ની પેઠે ભ્રમ ને ઉત્પન્ન કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE