Oct 9, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-307



હે,રામ,જેમ,સૂર્યનાં કિરણો સર્વમાં પહોંચેલાં હોવા છતાં,માત્ર જળમાં જ પ્રતિબિંબિત થાય છે,
તેમ,ચૈતન્ય એ સર્વમાં રહેલું હોવા છતાં,પણ પ્રાણીઓના શરીરમાં જ  એ "જીવ-રૂપે" પ્રતિબિંબિત થાય છે.
એ મહા-ચૈતન્ય એ સઘળા સંકલ્પો થી રહિત છે,સઘળાં નામો થી રહિત છે અને અવિનાશી છે.
છતાં,તેનાં "જીવ,જગત, ઇન્દ્રિયો" વગેરે નામો કલ્પવામાં આવેલાં છે.
પણ વિદ્વાનો (જ્ઞાનીઓ) ની દ્રષ્ટિમાં -એ ચૈતન્ય અંશો થી રહિત છે,અને માત્ર "એક" જ  છે.

જેમ, સમુદ્રમાં જોવામાં આવતો તરંગ-રૂપી ભેદ એ સમુદ્ર થી જુદો પડતો નથી,
તેમ,બ્રહ્મ માં જોવામાં આવતો જગત-રૂપી ભેદ એ બ્રહ્મ થી જુદો નથી જ.
જો કોઈ એમ માનતું હોય કે-"ચૈતન્ય -એ-જગતને ઉત્પન્ન કરે છે" તો તેને પોતાનું આવું માનવું બદલીને,
"ચૈતન્ય-એ-ચૈતન્ય ને જ ઉત્પન્ન કરે છે-એટલે જગત ચૈતન્યથી જુદું નથી" એમ માનવું જોઈએ (આ જ સત્ય છે) અને આ સત્ય માનવાથી એમ સિદ્ધ થઇ જાય છે કે-ચૈતન્ય થી ચૈતન્ય ની ઉત્પત્તિ થતી નથી,પણ,
ચૈતન્ય એ પોતાના "સ્વ-રૂપ" માં જ રહે છે પણ કોઈને (જગતને) ઉત્પન્ન કરતુ નથી.
આ વાત માત્ર જ્ઞાનીઓ જ સમજે છે -જયારે અજ્ઞાનીઓ તો એમ જ કલ્પના કરે છે કે-
"ચૈતન્ય માં "સૃષ્ટિ ના સમય"માં કંઈક કંઈક જુદું આવી પડે છે (કે કંઈક જુદું થાય છે) અને એટલે
તેમ થવાથી જગત એ ચૈતન્ય થી જુદું પડે છે" (જે ખોટું જ છે-અને અજ્ઞાન છે)

તે "ચૈતન્ય" એ માત્ર અનુભવ-સ્વ-રૂપ જ છે.
તે કેવળ પ્રકાશ-રૂપ જ પ્રતીત થાય છે અને તેથી સૂર્ય-વગેરે ને પણ તે પ્રકાશ આપનાર છે.
સર્વ પ્રાણીઓને  વિષયોની અનુભૂતિ કરાવવામાં,અને તેમના જન્મ-મરણ થવામાં તે માત્ર  "નિમિત્ત-રૂપ" છે.
તે ચૈતન્ય-કદી અસ્ત કે ઉદય  પામતું નથી,આવતું-જતું નથી કે ઉઠતું-બેસતું નથી અને ઈચ્છા-રહિત છે.
હે,રામ,નિર્મળ-આકાર (કે નિરાકાર) અને "પોતે પોતાનામાં જ રહેલું" એવું તે ચૈતન્ય,હલન-ચલન રહિત હોવા છતાં,પોતાનાથી અભિન્ન (પોતાનાથી જે જુદી નથી જ તેવી) સૃષ્ટિ (જગત) ના
"વિભ્રમ" થી (કે કલ્પનાથી) ચલન પામતું હોય તેમ જણાય છે,અને તે સૃષ્ટિ (જગત) નામથી પ્રગટ થાય છે.

એ "ચૈતન્ય" નામનો "અનુભવ" એ સર્વમાં વ્યાપક છે,અને સર્વદા (વાસ્તવિક રીતે) "પ્રકાશ-રૂપ" છે.
પણ અજ્ઞાન ને લીધે તે પ્રકાશતો નથી.
એ "ચૈતન્ય" એ "અંશો" થી રહિત છે છતાં પણ "કલ્પના" થી અંશો ને ધારણ કરે છે.
એ "ચૈતન્ય" અવિદ્યા (અજ્ઞાન-કે-માયા) માં "પ્રતિબિંબ-રૂપ-કૃત્રિમ-વેશ ધારણ" કરીને પોતાના સ્વ-રૂપ ને ભૂલે છે.અને "હું -છું" (અહં-કે-અહંકાર) ની -એવી ભાવનાને લીધે,જીવ-પણું પામે છે.
અને આમ "જીવ-પણું" થવાને લીધે "અનેક-પણું" આરૂઢ થઇ જાય છે.પછી,અનેક જન્મ-મરણ થવાથી,
"આ છે-આ નથી-આ લેવું-આ છોડવું" વગેરે વ્યવહારો વાળો "દેહાત્મ-ભાવ" (હું શરીર છું-તે) દૃઢ થઇ જાય છે.

એ "ચૈતન્ય" વાસ્તવિક રીતે (સત્યમાં) તો કંઈ જ બનાવતું નથી,પણ,
ઉપર બતાવ્યા પ્રમાણે બનાવેલ દેહમાં,સેંકડો "ચલનો" (ક્રિયાઓ કે કર્મો) થી,સારાં-નરસાં કર્મો કરીને
"જગત" ને બનાવી લે છે.

એટલે કે બીજી રીતે એમ કહી શકાય કે-
"પૃથ્વી-રૂપ-ચૈતન્ય" ની કોતરમાં રહેલું-"અંકુરો-રૂપ-ચૈતન્ય" અંકુર થઈને બહાર આવવા પ્રયત્ન કરે છે,
--ત્યારે "સઘળા-સાકાર-પદાર્થો-રૂપ-ચૈતન્યો" નો સમાવેશ કરનારું
 "આકાશ-રૂપ-ચૈતન્ય" તેને અવકાશ (જગા) આપે છે.(નોંધ-અહીં પંચમહાભૂતો પૈકી -"આકાશ" ની વાત છે)
--"વાયુ-રૂપ-ચૈતન્ય" (કે જે ચલન-રૂપ-ધર્મ-વાળું છે) તે (અંકુર-રૂપ-ચૈતન્ય) નું આકર્ષણ કરે છે.(વાયુ)
--"જળ-રૂપ-ચૈતન્ય" પોતાના રસથી તે (અંકુર-રૂપ-ચૈતન્ય) નું પોષણ કરે છે.( પાણી)
--"પૃથ્વી-રૂપ-ચૈતન્ય" તેનેદૃઢતા આપી તેના પર અનુગ્રહ કરે છે (પૃથ્વી)
--"તેજ-રૂપ-ચૈતન્ય" પોતાનું રૂપ (પ્રકાશ) આપીને તેને પ્રગટ કરે છે (તેજ-કે- અગ્નિ)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE