Oct 9, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-306



જેમ,"જળ અને તરંગ એ બે ભિન્ન (જુદાજુદા) છે",-એમ ભેદ-બુદ્ધિથી તેમની ભિન્નતા સમજવી તે મૂર્ખતા છે,
પણ "જે જળ છે તે જ તરંગ છે" એમ માનવું તે સમજુ-પણું છે,(અર્થાંત અભેદ તે જ જ્ઞાન છે)
તેમ,"બ્રહ્મ અને જગત જુદા જુદા છે" એમ માનવું તે મૂર્ખતા છે અને બંને એક છે તેમ જાણવું તે જ્ઞાન છે.
જો જગત ને ખોટું સમજીને તેમાં "આ લેવા-યોગ્ય અને આ છોડવા યોગ્ય છે" એવો ભ્રમ ના રહે,
તો તે જગત-એ- બ્રહ્મ-રૂપે જ અવશેષ (બાકી) રહે છે.

હે,રામ,આ જગત,સંકલ્પથી જ કલ્પાયેલું હોવાને લીધે "મન-રૂપ"જ છે,અને ખોટું છે માટે મિથ્યા છે.
તો તેનો વિનાશ થવાથી શો શોક કરવો?
જેમ,આપણે જેની સાથે બહુ પ્રેમ નથી તેવા સંબંધીને રાગ-દ્વેષ વગરની દૃષ્ટિ થી જોઈએ છીએ,
તેમ તમે પંચમહાભૂત-મય તમારા શરીરને પણ રાગ-દ્વેષ વગરની દૃષ્ટિથી જુઓ.
યથાર્થ રીતે શરીર ને મિથ્યા જાણવામાં આવે તો,સુખ-દુઃખ અનુભવાતાં નથી.
પરમાનંદ-રૂપ-બ્રહ્મ એ અનુભવ-રૂપ અને જ્ઞાન-સ્વ-રૂપ છે,અને તે બ્રહ્મમાં જ મન ની શાંતિ થાય છે.
જેમ,વાયુ શાંત થતાં રજ (ધૂળ) શાંત થાય છે તેમ,મન શાંત થતા દેહ -બ્રહ્મ માં શાંત થાય છે.

હે,રામ,"વાસના-રૂપી-વર્ષા-ઋતુ" શાંત (ક્ષીણ) થાય અને  "સ્વ-રૂપ-સ્થિત-રૂપ-શરદ-ઋતુ" વિલાસ કરવા લાગે,ત્યારે,"સંસાર-રૂપી-નગરી" માં ફરીવાર,"મોહ-રૂપી-વરસાદ" વરસતો નથી.
"મિથ્યા-સમજણ-રૂપી" મેઘ જયારે ચાલ્યો જાય છે,ત્યારે,
જેમ પ્રભાત-કાળમાં રાત્રિ ક્ષીણ થઇ જાય છે,
તેમ,"મોહ-રૂપી-વરસાદ:ક્ષીણ થઇ જાય છે,જડતા-રૂપી ટાઢ ક્યાંય જતી રહે છે,ભય રહેતો નથી,
આશાઓ-રૂપી સંકલ્પો રહેતા નથી,અને ત્યારે જ્ઞાન-રૂપી-આકાશ નિર્મળ થઇ જાય છે-અને
જીવ-રૂપી-સૂર્ય પોતાના સ્વચ્છ સ્વ-રૂપ થી અત્યંત શોભે છે.

આમ,દોષો નો ત્યાગ કરીને ધીરજ ભરેલી બુદ્ધિવાળો થયેલો,અને,સંસારની સઘળી ગતિઓને-
તે ગતિઓ "જન્મ-મરણ ના પ્રવાહ-વાળી હોવાને લીધે" સ્વાદ વગરની જોતો-
તથા,"વિચાર થી આત્મ-તત્વ-રૂપી દીવો પામેલો" તે પુરુષ,પોતાનું "મન' અત્યંત ગળાઈ જતાં(ક્ષીણ થઈજતાં) સઘળા સંતાપો થી રહિત થાય છે અને "દેહ-રૂપી-નગર"માં વિલાસ કરે છે.

(૩૬) ચૈતન્ય-સ્વ-રૂપ નું વર્ણન

રામ કહે છે કે-હે,બ્રહ્મન,પરમાત્મા સર્વ દ્રશ્યો (જગત) થી રહિત છે,તેમાં આ જગત જે પ્રકારથી રહ્યું છે,
તે ફરીવાર મને કહો -એટલે મને બોધ (જ્ઞાન) ની વૃદ્ધિ  થાય.(નોધ-અહીં રામ ફરીવાર કહેવાનું કહે છે!)

વસિષ્ઠ કહે છે કે-જેમ,જળમાં "ભવિષ્ય માં થનારા તરંગો" અસ્ફુટ રીતે (ના દેખાય તે રીતે) રહ્યા છે,
અને,તે તરંગો ની તેમની પોતાની જુદી સત્તા ના હોવાને લીધે તે જળમાં નથી પણ રહ્યા,
તેમ,પર-બ્રહ્મ માં આ સૃષ્ટિઓ અસ્ફુટ-રીતે રહેલી છે,અને તેમની પોતાની સત્તા ના હોવાને લીધે નથી પણ રહી.

જેમ,આકાશ એ સર્વદા (હંમેશ) રહ્યું હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાને લીધે પ્રતીત થતું નથી (દેખાતું નથી)
તેમ,"અંશો થી રહિત-ચૈતન્ય-તત્વ" સર્વમાં વ્યાપક હોવા છતાં પણ પ્રતીત થતું નથી.
જેમ,સ્ફટિક માં પડતું પ્રતિબિંબ એ સત્ય કહેવાય તેમ નથી કે અસત્ય પણ કહેવાય તેમ નથી,
તેમ આત્મા (પરમાત્મા) માં રહેલી આ સૃષ્ટિ (જગત) ને -સત્ય કે અસત્ય પણ કહેવાય તેમ નથી.
જેમ,આકાશમાં રહેલાં વાદળો નો આધાર આકાશ છે,પણ તે વાદળો ને આકાશનો સ્પર્શ નથી,
તેમ,ચૈતન્ય માં રહેલ સૃષ્ટિઓનો આધાર ચૈતન્ય જ છે,પણ તેમણે ચૈતન્ય નો સ્પર્શ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE