Jul 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-545

હે રામ,આ સઘળું જગત આત્મા જ છે-માટે દ્વૈત-રૂપ ભ્રાંતિ છોડી દો,
આ સઘળું વિશાળ જગત આત્માનું જ રૂપ છે,માટે જ્ઞાની પુરુષ-તેમાં કઈ વસ્તુને ત્યાજ્ય કે ગ્રાહ્ય માને? અને કઈ વસ્તુને ઈચ્છે? પૃથ્વીમાંથી પાંદડા ના અંકુર જેવા-જે જે વિષયો થાય છે-જે જે વિષયો થશે અને જે શબ્દાદિ વિષયો છે, તે સઘળા વિષયો-પણ-તત્વવેત્તાપુરુષોની દ્રષ્ટિમાં તો બ્રહ્મ-રૂપ જ છે.

હે રામ,જે પદાર્થની સત્તા,આદિમાં તથા અંતમાં ના હોય અને મધ્યમાં જ થોડીકવાર જોવામાં આવતી હોય,
તે પદાર્થ આત્માના એક જાતના ભ્રમ-રૂપ જ હોય છે-એવો નિશ્ચય રાખી,
"આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે" એવી કલ્પનાને  ત્યજી દઈ,સઘળા પદાર્થોના છેડાને પ્રાપ્ત થઈને -
તમે સંગ-રહિત ને સ્વયંપ્રકાશ અનુભવ-રૂપ થાઓ.
સંગ-રહિત થયેલો પુરુષ અહંતા-મમતાથી રહિત કરેલાં શરીર-મન-ઇન્દ્રિયાદિ-કર્મ કરે,
તો પણ તેઓના ફળથી લેપાતો નથી.અને ના કરે તો પણ પ્રાયશ્ચિતનો ભાગી થતો નથી.

જેમ, કોઈ રાજા,પોતે જ્યાં રાજ્ય કરે છે-તે-પોતાના રાજ્ય ને મનોરથ થી કલ્પી લીધેલું માની ને -
નિર્લેપતાથી,તે રાજ્યનાં કાર્યો કરે તો તે કાર્યો કરવા છતાં પણ તે સુખ-દુઃખોથી લેપાતો નથી,
તેમ,મનથી આસક્તિ વિનાનો જીવનમુક્ત પુરુષ,
વ્યવહાર સંબંધી કર્યો કરતો હોય,તો પણ સુખદુઃખોથી લેપાતો નથી.
જેવી રીતે,જયારે બાળકનું ચિત્ત બીજા સ્થળમાં લાગ્યું હોય છે ત્યારે -
તે બાળક પોતાની પાસે પદાર્થ ને નેત્રથી દેખતો હોવા છતાં દેખતો નથી,
તેવી રીતે મનની લાગણી વિના જે કામ કરવામાં આવે તે કામ -તે ના કર્યા જેવું જ છે.
આ વાત કોઈ ને કોઈ વખતે તો સર્વના અનુભવમાં આવેલી જ હોય છે.

આ જ રીતે,જોવા તથા સાંભળવાની-આદિ ક્રિયાઓ કરવા છતાં પણ જેનું મન તે ક્રિયાઓમાં લાગેલું ના હોય,
તે મનુષ્ય,દેખતાં,સાંભળતાં,સ્પર્શ કરતાં,આંખોને ઉઘાડતાં કે મીંચતા પણ કંઈ ક્રિયાઓ કરતો નથી અને
તેની હાથ-પગ-આદિ કર્મેન્દ્રિયો,સંસ્કારના બળથી,તે તે કાર્યોમાં પડવા છતાં,પણ તે કાર્યોમાં પોતે પડતો નથી.

હે રામ, માટે સંગ જ પુણ્ય-પાપ-આદિ અનર્થોનું કારણ છે,
સંગ જ સંસારનું,આશાઓનું,અને આપત્તિઓનું કારણ છે,માટે સંગ નો ત્યાગ થાય તે જ મોક્ષ છે,
અને સંગનો ત્યાગ કરવાથી જ પુનર્જન્મ ની પ્રાપ્તિ થતી નથી-એમ વિદ્વાનોએ સિદ્ધાંત કર્હ્યો છે.
માટે તમે પદાર્થોના સંગને ત્યજીને જીવનમુક્ત થાઓ.

રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,આપ સંગ-શબ્દ થી કોને કહો છો? (સંગ-શબ્દ નો શો અર્થ છે?) તે મને કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,પ્રિય-અપ્રિય પદાર્થોંના સંયોગ-વિયોગ થતાં,
હર્ષ-શોક રૂપી -વિકાર આપનારી જે "મલિન વાસના" છે-તે "સંગ" નામથી ઓળખાય છે.
જીવનમુક્ત પુરુષોની વાસના હર્ષ-શોક-રૂપી વિકારના સંબંધ વિનાની હોવાને લીધે-શુદ્ધ હોય છે-
એટલા માટે તે (શુદ્ધ) વાસનાથી તેઓને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.
હે રામ,એવી શુદ્ધ વાસના એ "અસંગ" શબ્દથી કહેવામાં આવે છે.

તેવી શુદ્ધ  વાસના જ્યાં સુધી જીવનમુક્ત પુરુષનો દેહ રહે ત્યાં સુધી રહે છે.
એ શુદ્ધ વાસનાથી કર્મ કરવામાં આવે,તો પણ તે બંધન આપનાર થતું નથી.
જીવનમુક્ત નહિ થયેલા લોકો કે જે,મૂઢ અને રાંક જ હોય છે-
તેઓની વાસના હર્ષ-શોક-રૂપી વિકારોના સંબંધવાળી હોય છે,માટે તે વાસના બંધન આપનારી થાય છે.
આ હર્ષ-શોક-રૂપી વિકારોના સંબંધવાળી મલિન વાસના જ "સંગ" એ શબ્દથી કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE