Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૫

निर्वासनो निरालम्बः स्वच्छन्दो मुक्तबन्धनः । क्षिप्तः संस्कारवातेन चेष्टते शुष्कपर्णवत् ॥ २१॥

વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છંદ અને બંધનમાંથી મુક્ત થયેલો મનુષ્ય,

--“સંસાર-રૂપી” પવનથી પ્રેરિત બની,(પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી)

--સૂકાં પાંદડાંની જેવી ચેષ્ટા(વર્તન) કરે છે.(૨૧)

 

असंसारस्य तु क्वापि न हर्षो न विषादता । स शीतलमना नित्यं विदेह इव राजये ॥ २२॥

અસંસારી (જ્ઞાની)ને કશે પણ નથી હર્ષ કે નથી શોક,

--શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા)ની જેમ શોભે છે (૨૨)

 

कुत्रापि न जिहासास्ति नाशो वापि न कुत्रचित् । आत्मारामस्य धीरस्य शीतलाच्छतरात्मनः ॥ २३॥

શાંત અને શુદ્ધ આત્માવાળા અને આત્મામાં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની) પુરુષને,

--નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા) (૨૩)

 

प्रकृत्या शून्यचित्तस्य कुर्वतोऽस्य यदृच्छया । प्राकृतस्येव धीरस्य न मानो नावमानता ॥ २४॥

“સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષને,

--સામાન્ય મનુષ્યની જેમ માન કે અપમાન લાગતાં નથી.(૨૪)

 

कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा । इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥ २५॥

“આ કર્મ મારા દેહ વડે થયું છે,નહિ કે મારા આત્મા વડે” એમ જે સતત ચિંતન કરે છે,

--તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી.(૨૫)

 

अतद्वादीव कुरुते न भवेदपि बालिशः । जीवन्मुक्तः सुखी श्रीमान् संसरन्नपि शोभते ॥ २६॥

સામાન્ય મનુષ્યની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે,પણ તેમ છતાં,તે નાદાન (મૂર્ખ) હોતો નથી,

--કર્મોમાં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે.(૨૬)

 

नानाविचारसुश्रान्तो धीरो विश्रान्तिमागतः । न कल्पते न जाति न श‍ृणोति न पश्यति ॥ २७॥

અનેક પ્રકારના વિચારો કરીને અંતે થાકી ગયેલો,અને તેથી જ શાંત થયેલો,ધીર(જ્ઞાની) પુરુષ,

--નથી કલ્પનાઓ કરતો,નથી જાણતો,નથી સાંભળતો કે નથી જોતો.(૨૭)

 

असमाधेरविक्षेपान् न मुमुक्षुर्न चेतरः । निश्चित्य कल्पितं पश्यन् ब्रह्मैवास्ते महाशयः ॥ २८॥

આવો જ્ઞાની પુરુષ સમાધિના પણ અભાવને લીધે મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા રાખનાર) નથી,

--(તેનાથી વિરુદ્ધ) કોઈ પણ વિક્ષેપના અભાવથી બદ્ધ (બંધન વાળો) પણ નથી,

--પરંતુ નિશ્ચય કરી ને આ બધાને કલ્પનામય જોતો,તે ”બ્રહ્મ”-રૂપે જ રહે છે. (૨૮)

 

यस्यान्तः स्यादहङ्कारो न करोति करोति सः । निरहङ्कारधीरेण न किञ्चिदकृतं कृतम् ॥ २९॥

જેનામાં અહંકાર છે તે કાંઇ ના કરે તો પણ કર્મ કરે જ છે,

--જયારે અહંકાર વગરના ધીર પુરુષને માટે તો “કાંઇ ના કરેલું કે કરેલું “ (કર્મ) છે જ નહિ. (૨૯)



नोद्विग्नं न च सन्तुष्टमकर्तृ स्पन्दवर्जितम् । निराशं गतसन्देहं चित्तं मुक्तस्य राजते ॥ ३०॥

એવા જીવન્મુક્તનું ચિત્ત (પ્રભુમય-મન) કે જે પ્રકાશમય છે,તેમાં દ્વૈત નથી તેથી ઉદ્વેગ નથી,

--નથી કોઈ સંકલ્પ-વિકલ્પ તેથી દુનિયા તરફ નિરાશ દૃષ્ટિ છે.

--નથી કોઈ અજ્ઞાન કે જેથી નથી કોઈ સંદેહ. (૩૦)

 

निर्ध्यातुं चेष्टितुं वापि यच्चित्तं न प्रवर्तते । निर्निमित्तमिदं किन्तु निर्ध्यायेति विचेष्टते ॥ ३१॥

ધીર પુરુષનું ચિત્ત (ઈશ્વરમાં તન્મય-મન)  ધ્યાન કરવાને કે કોઈ ક્રિયા કરવા પ્રવૃત્ત થતું નથી,

--પરંતુ કાંઇ પણ નિમિત્ત ના હોવા છતાં યથાપ્રાપ્ત ધ્યાન અને ક્રિયા કરે પણ છે. (૩૧)

 

तत्त्वं यथार्थमाकर्ण्य मन्दः प्राप्नोति मूढताम् । अथवा याति सङ्कोचममूढः कोऽपि मूढवत् ॥ ३२॥

“સત્ય-તત્વ” ને સાંભળીને જડ મનુષ્ય મૂઢ (અજ્ઞાની) બને છે અને સંકોચ (ગભરાટ) પ્રાપ્ત કરે છે,

--તેવી જ રીતે કોઈ જ્ઞાનીની દશા,એ અજ્ઞાનીની જેમ જ

--બાહ્યદૃષ્ટિથી મૂઢતા જેવી જ દેખાય છે.(બાહ્યદૃષ્ટિથી જ્ઞાનીનું મૂઢના જેવું વર્તન લાગે છે) (૩૨)

 

एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते भृशम् । धीराः कृत्यं न पश्यन्ति सुप्तवत्स्वपदे स्थिताः ॥ ३३॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્યો એકાગ્રતા અથવા ચિત્ત-નિરોધનો વારંવાર અભ્યાસ કરે છે,પરંતુ,

--જ્ઞાનીઓ તો આત્મપદમાં “સૂતેલાની જેમ” સ્થિર બનેલા હોઈને,

--કશું પણ (એકાગ્રતા-કે ચિત્તનિરોધ- વગેરે) કરવાપણું જોતા જ નથી. (૩૩)

 

अप्रयत्नात् प्रयत्नाद् वा मूढो नाप्नोति निर्वृतिम् । तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः ॥ ३४॥

પ્રયત્ન ના કરવાથી અથવા પ્રયત્ન વડે,પણ મૂઢ (અજ્ઞાની) મનુષ્ય સુખ પામતો નથી,ત્યારે,

--માત્ર તત્વનો નિશ્ચય થતાં જ ધીર (જ્ઞાની) મનુષ્ય સુખી બને છે. (૩૪)

 

शुद्धं बुद्धं प्रियं पूर्णं निष्प्रपञ्चं निरामयम् । आत्मानं तं न जानन्ति तत्राभ्यासपरा जनाः ॥ ३५॥

તે શુદ્ધ,પ્રિય,પૂર્ણ,પ્રપંચરહિત,દુઃખ રહિત,ચૈતન્ય આત્મા પુરુષને ,

--સંસારમાં રહેલા અભ્યાસી (મૂઢ-અજ્ઞાની) લોકો પણ જાણતા નથી (જાણી શકતા નથી)   (૩૫)

 

नाप्नोति कर्मणा मोक्षं विमूढोऽभ्यासरूपिणा । धन्यो विज्ञानमात्रेण मुक्तस्तिष्ठत्यविक्रियः ॥ ३६॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ અભ્યાસ-રૂપ કર્મ (યોગ-વગેરે) વડે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી,જયારે,

--ધીર (જ્ઞાની) પુરુષ વિજ્ઞાન (જ્ઞાન) માત્રથી જ મુક્ત અને નિર્વિકાર બને છે (૩૬)

 

मूढो नाप्नोति तद् ब्रह्म यतो भवितुमिच्छति । अनिच्छन्नपि धीरो हि परब्रह्मस्वरूपभाक् ॥ ३७॥

મૂઢ (અજ્ઞાની) પુરુષ “બ્રહ્મ” ને મેળવવાની ને “બ્રહ્મ-રૂપ” થવાની ઈચ્છા રાખે છે,તેથી જ,

--તે તે “બ્રહ્મ”ને મેળવી શકતો નથી કે બ્રહ્મ-રૂપ થઇ શકતો નથી,જયારે

--ધીર (જ્ઞાની) ઇચ્છતો ના હોવા છતાં પણ “બ્રહ્મ-રૂપ” જ છે.(૩૭)

 

निराधारा ग्रहव्यग्रा मूढाः संसारपोषकाः । एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः ॥ ३८॥

કોઈ આધાર વગરના અને દુરાગ્રહી મૂઢો (અજ્ઞાનીઓ) જ સંસાર-રૂપી મૂળનું પોષણ કરવાવાળા છે,

--જયારે તે અનર્થના મૂળ-રૂપ સંસારના મૂળનો જ્ઞાનીઓએ ઉચ્છેદ (નાશ) કર્યો છે. (૩૮)

 

न शान्तिं लभते मूढो यतः शमितुमिच्छति । धीरस्तत्त्वं विनिश्चित्य सर्वदा शान्तमानसः ॥ ३९॥

મૂઢ (અજ્ઞાની) મનુષ્ય શાંત બનવા ઈચ્છે છે,તેથી જ તે શાંતિ પામતો નથી,

--ધીર (જ્ઞાની) પુરુષ “તત્વ” નો નિશ્ચય કરી,સર્વદા શાંત ચિત્તવાળો જ હોય છે. (૩૯)

 

क्वात्मनो दर्शनं तस्य यद् दृष्टमवलम्बते ।धीरास्तं तं न पश्यन्ति पश्यन्त्यात्मानमव्ययम् ॥ ४०॥

બાહ્ય-દૃશ્ય પદાર્થો (સંસાર) નું અવલંબન (આધાર) કરતો હોય તેવા,

--મૂઢ (અજ્ઞાની) ને “આત્મા” નું દર્શન ક્યાંથી થાય ?

--જ્ઞાની પુરુષ તે દૃશ્ય પદાર્થ (સંસાર) ને ના જોતાં,અવ્યય (અવિનાશી) આત્માને જુએ છે. (૪૦)



      PREVIOUS PAGE
     NEXT PAGE