Mar 2, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૬


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા ઓ નીચે છે,તથા તેનો કદી નાશ થતો નથી,એમ કહેવામાં આવે છે.
વેદ ના છંદો તેના પાંદડા છે,આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.(૧)

આ વૃક્ષ ની શાખાઓ ‘સત્વાદિ’ ગુણોથી વધેલી અને ‘વિષયો’રૂપ કુંપળોવાળી હોઈ તે ઉપર અને નીચે પ્રસરેલી છે.તેમજ નીચે મનુષ્ય લોકમાં ‘કર્મ સંબધી’ મૂળો ફેલાયેલા છે.(૨)

જે રીતે આ વૃક્ષ નું વર્ણન કરેલું છે,તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવ માં આવતું નથી, અને તેને અંત-આદિ,સ્થિતિ-આદિ પણ નથી. આ બળવાન વૃક્ષનું દ્રઢ  વૈરાગ્ય રુપી શસ્ત્ર થી છેદન કરી પરમ પદ પ્રાપ્ત કરવું જોઈએ,જ્યાંથી પુનઃ પાછા ફરવાનું નથી .

“જેમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલતી આવી છે,તે આદ્ય પુરુષ ને હું શરણે આવ્યો છું” આવી ભાવનાથી તે પરમ પદ ની શોધ કરવી”(૩-૪)

જે મનુષ્ય માન-મોહ થી મુક્ત છે,જેને સંગ-દોષને જીત્યો છે, જેઓ કામના ત્યાગીને નિત્ય પરમાત્મ સ્વરૂપના ચિંતન માં તત્પર રહે છે અને જેઓ સુખ-દુઃખ ના  દ્વંદો થી પર થયેલા છે,તેવા જ્ઞાની અવિનાશી પરમ પદ ને પામે છે.(૬)

આ સંસાર માં મારો જ અંશ. સનાતન જીવરૂપ થઇને,પ્રકૃતિમાં સ્થિત,મન સહિત પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે,એ જીવ જયારે એક દેહ છોડી બીજા દેહ માં જાય છે,ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઇ ગતિ કરે છે,તેમ  જીવાત્મા છોડેલા દેહની વાસનાઓ,મન સાથે લઇ જાય છે(૭-૮)

હું વૈશ્વાનર (જઠરાગ્ની)રૂપ થઇ પ્રાણીઓના દેહના આશ્રયે રહી,પ્રાણ તથા અપાન વાયુ થી યુક્ત થઇ,ચાર પ્રકારનું અન્ન પચાવું છું(૧૪)

ક્ષર અને અક્ષર (નાશવંત અને અવિનાશી)એવા બે પુરુષો છે ,જેમાં સર્વ ભૂત ‘ક્ષર’છે અને તેમાં રહેલો
આત્મા ‘અક્ષર’ છે.(કે જે સર્વ ભૂતો ના ઉત્પત્તિ નું કારણ છે) (૧૬)

પણ આ ક્ષર અને અક્ષર બન્ને થી ‘ઉત્તમ પુરુષ’ અલગ છે,જે ‘પરમાત્મા’ ના નામથી ઓળખાય છે,અને વેદ માં તે ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છે(૧૭-૧૮)

જે મનુષ્ય મોહ ત્યાગ કરી ,મને ‘પુરુષોત્તમ’ સ્વરૂપે જાણે છે ,તે સર્વજ્ઞ હોઈ મને સર્વ ભાવથી ઉપાસે છે (૧૯)
આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય (ગુહ્ય્ ત્તમ )અધ્યાત્મ શાસ્ત્ર તને કહ્યું ,જે જાણી મનુષ્ય આત્મજ્ઞાની અને કૃતાર્થ થાય છે(૨૦)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1