જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત
અધ્યાય-૪-જ્ઞાન કર્મ
સંન્યાસયોગ -૮
ત્યારે .....આપોઆપ...
--સર્વ કર્મ ની
ઈચ્છા શમી જાય છે.
--સર્વ તર્કો નો લોપ (નાશ) થઇ જાય છે.
--ઇન્દ્રિયો (મુખ-વગેરે) વિષય (સ્વાદ-વગેરે) ને ભૂલી જાય છે.
--મન નું મનપણું બાજુ
પર જતું રહે છે.
--શબ્દો ની દોડ
અટકી જાય છે-વિચારો ની ઉત્કંઠા પૂરી થાય
છે.
અહીં એવું પણ કહી
શકાય કે-
જે જે –જુદી જુદી
જાતના -કર્મો કરીને જે (આત્મજ્ઞાન) મેળવવાનું
છે-
તે મળ્યા પછી-તે કર્મો
નું કોઈ જ મહત્વ નથી રહેતું નથી.
કર્મો નું અસ્તિત્વ
રહેતું નથી-કે પછી-તે કર્મો કોઈ બંધન કરી શકતા નથી.
આવા આત્મજ્ઞાન ને
પામેલા અનુભવી-સંત મહાત્માઓ પાસે જવાથી,
અને તેમની સેવા
કરવાથી –મન માં રહેલું અભિમાન નષ્ટ પામે
છે,
અને આ સંત મહાત્માઓ
પાસેથી ઈચ્છિત માર્ગદર્શન પણ મળે છે. (૩૪)
અભિમાન નષ્ટ થવાથી
અને સંત-મહાત્માઓ ના માર્ગદર્શન થી,
ભેદ નો (મારું-તારું.હું
–તું) નાશ થાય છે, આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે,અને
દુનિયા ના દરેક
પ્રાણી માં (આત્મામાં) –પરમાત્મા નો વાસ છે –તેવી પ્રતીતિ થાય છે.
અને આ અનેક પાપો થી
ભરેલા સમુદ્ર ને (સંસારને) આત્મજ્ઞાનની મદદથી અનાયાસે તરી જવાય છે.
જેમ સારી રીતે પ્રજ્વલિત
થયેલો અગ્નિ ,લાકડા ને બાળી ને ભસ્મ કરી નાખે છે-
તેમ આ આત્મજ્ઞાન નો
પ્રજ્વલિત થયેલો અગ્નિ (જ્ઞાનાગ્નિ),
સર્વ કર્મો ને
બાળીને ભસ્મ કરી નાખે છે.
આ જગતમાં –આ-આત્મજ્ઞાન
ના સમાન પવિત્ર બીજું કશું નથી.
યોગાભ્યાસ થી આગળ વધેલો
પુરુષ ,ધીરે ધીરે સમય થતાં, આ આત્મવિષયક જ્ઞાન પોતાની
જાતે જ મેળવે છે. (૩૮)
હવેનો આ શ્લોક ઘણો
મહત્વનો છે.
પરમ શાંતિ કોને મળે
?
(૧) જે શ્રદ્ધાવાન
છે, (૨) જે જ્ઞાનપ્રાપ્તિ માટે તત્પર (ઉત્સુક) થયેલો છે, (૩) જે જીતેન્દ્રિય છે,
તેવા પુરુષને –આ આત્મવિષયક
જ્ઞાન મળે છે,
અને આ જ્ઞાન પ્રાપ્ત
થયા પછી તરત જ પરમ શાંતિ મળે છે. (૩૯)
પણ જેને
સત્ય-પરમાત્મા વિષે અશ્રદ્ધા છે,
પરમાત્મા વિષે –આત્મવિષયક
જ્ઞાન વિષે, સંશય છે,
તે નાશ ને પામે છે,
અને આવો સંશયાત્મા (શંકાશીલ પુરુષ) –
પરમ શાંતિ ને
પ્રાપ્ત થતો નથી,
પરંતુ યોગ ના દ્વારા
જેને સર્વ કર્મો નો સંન્યાસ (ત્યાગ) કરેલો છે,અને
આત્મ-જ્ઞાન દ્વારા જેના
સંશયોનો લોપ (નાશ) થઈને આત્મ-સ્વ-રૂપ પ્રાપ્ત થયેલું છે,
તેવા જ્ઞાની ને કર્મ
નું બંધન પ્રાપ્ત થતું નથી. (૪૦-૪૧)
શ્રીકૃષ્ણ અર્જુન ને
કહે છે-કે-
તારા મન ની અંદર જે
સંશય થયેલો છે-તે અજ્ઞાન ના લીધે ઉભો થયેલો છે,
તેનો જ્ઞાન-રૂપી તલવારથી વધ કરી, તું –
કર્મ અને ફળ ઈશ્વર
ને અર્પણ કરનારા –આ કર્મયોગનું શરણ (અવલંબન) સ્વીકાર,
અને યુદ્ધ કરવા ઉભો
થા. (૪૨)
અધ્યાય-૪ –જ્ઞાનકર્મસંન્યાસયોગ
–સમાપ્ત.
અનુસંધાન-અધ્યાય-૫-કર્મ
સંન્યાસ યોગ.