Dec 2, 2012

રામાયણ-૪૭

      PREVIOUS PAGE
     NEXT PAGE


હનુમાનજી અશોકવન માં આવ્યા છે.સીતાજી સમાધિ માં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.
માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજી ને મન થી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસી ને રામ-કથા કહેવાની શરૂઆત કરી.
“શ્રી રામે -અનેક વાનરો ને સીતાજી ને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજી નાં દર્શન થયાં”

સીતાજી ને કાને આ શબ્દો પડ્યા અને પૂછે છે-કે-આ કોણ બોલે છે ? મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતા નથી?

માતાજી બોલાવે છે,જાણી હનુમાનજી એ કૂદકો માર્યો અને નીચે આવી ને સીતાજી ને પ્રણામ કર્યા છે.
કહે છે-કે- મા હું રામદૂત છું,તમે મારી માતા છો. મા રામજી તમારી ઉપેક્ષા કરતા નથી,તે જલ્દી પધારશે.
પછી માતાજી ને પૂછે છે-કે- મા મને ભૂખ લાગી છે,અત્રે ફળ પુષ્કળ છે,પણ રાક્ષસો પહેરો ભરે છે.ફળ ખાઉં?

સીતાજી એ આજ્ઞા કરી છે--કે-જે ફળ નીચે પડ્યાં હોય તે ખાજે,ફળ તોડતો નહિ,ફળ તોડીશ તો રાક્ષસો સાથે
ઝગડો થશે. હનુમાનજી એ વિચાર્યું-કે-ફળ તોડવાની ના પાડી છે-ઝાડ હલાવવાની કે ઉખેડવાની ક્યાં ના પાડી છે? હનુમાનજી ઝાડને હલાવે છે,ફળ નીચે પડે તે ખાય છે,અમુક ઝાડો તો ઉખડી ગયાં છે.

હનુમાનજી એ દિવ્ય વાનર નું સ્વરૂપ ધારણ કરેલું,પુચ્છ ને કહ્યું કે તુ તારું કામ કર.
પુચ્છ બધાને મારે છે,રાક્ષસી ઓનો સંહાર કર્યો છે. ઇન્દ્રજીત તે વખતે ત્યાં આવે છે,ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર છોડે છે.
હનુમાનજી એ બ્રહ્માસ્ત્ર ને માન આપ્યું.ઇન્દ્રજીત હનુમાનજી ને રાજ્યસભામાં લઇ આવ્યા.
રાવણે પૂછ્યું-એય બંદર ,તુ કહાંસે આયા હૈ ?

હનુમાનજી એ સામો પ્રશ્ન કર્યો કે-એય દસમુખ,તને ઉપદેશ આપવાં આવ્યો છું,તેં શિવજી ને પ્રસન્ન કર્યા પણ સીતાજી ને આવી રીતે ઘરમાં રાખે છે ? તુ રામજી ને શરણે આવ.રામ તારાં સર્વ પાપ માફ કરશે.
પણ રાવણ કઈ માનતો નથી ને કહે છે-કે આ પુચ્છ માં જ બહુ શક્તિ છે,તે પુચ્છ ને જ બાળી નાખો.
હનુમાનજી પુચ્છ ને વધાર્યે જાય છે,લંકા ના કોઈ કાપડિયા ના દુકાન માં કાપડ બાકી રહ્યું નથી, સર્વ કાપડ
હનુમાનજી ના પુચ્છ ને લગાડવામાં આવ્યું અને પછી અગ્નિ મુકવામાં આવ્યો.

હનુમાનજી કહે છે-કે- આ પુચ્છ યજ્ઞ થાય છે,તેના તમે યજમાન છો,તમે ફૂંક મારો.રાવણ ફૂંક મારવાં ગયો,
અને તેની દાઢી બળવા લાગી. કુદાકુદ કરી હનુમાનજી એ આખી લંકા ને બાળી છે.

આ બાજુ રાક્ષસીઓ સીતાજી ને કહે છે-કે-તમારી પાસે આવેલા તેમનું પૂંછડું રાક્ષસો બાળે છે.
તેથી સર્વ જગ્યાએ આગ ફેલાઈ છે.સીતાજી અગ્નિદેવ ને પ્રાર્થના કરે છે-અશોકવન નો અગ્નિ શાંત થયો છે.

હનુમાનજી એ સમુદ્ર કિનારે આવી જોયું તો આખી લંકા ધગધગ બળે છે.વિચારે છે-કે આ તો ખોટું થયું,
આગ અશોકવન સુધી પહોંચશે તો ? પુચ્છ ને સમુદ્ર સ્નાન કરાવ્યું, અગ્નિ શાંત થયો.
અને અશોકવન માં આવ્યા છે,જોયું તો અશોકવન નું એક પણ ઝાડ બળ્યું નથી.
સીતાજી એ હનુમાનજી ને આશીર્વાદ આપ્યા છે,-કે-કાળ તને મારી શકશે નહિ,સંતો તારી પૂજા કરશે,
અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે.તારો જગત માં જયજયકાર થશે.

આવા આશીર્વાદ થી હનુમાનજી ને સંતોષ થયો નહિ,તેમણે તો માત્ર રામસેવા ના આશિષ માગ્યા.
સીતાજીએ તેવા પણ આશીર્વાદ આપ્યા છે. હનુમાનજી અમર છે,કાળ હનુમાનજી નો નોકર છે.

હનુમાનજી જવા લાગ્યા-તે વખતે બ્રહ્માજી એ પત્ર લખી આપ્યો છે. હનુમાનજી તો સ્વમુખે પોતાનાં વખાણ નહિ કરે –તેથી તેમનાં પરાક્રમો નું વર્ણન કરતો પત્ર લખી આપ્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE