અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-૪
(ફૂલ ની સુગંધ ની જેમ) લઇ જાય છે.
અને પછી –તે જીવ ની ગતિ પ્રમાણે-મનુષ્યલોક કે
સ્વર્ગલોક માં-જે જે સ્થળે –જીવ (આત્મા) દેહ ધારણ કરે છે-તે તે સ્થળે તે મન –વગેરે
છ ઇન્દ્રિયો નો ફરીથી વિસ્તાર કરે છે.
દીવો ઓલવાઈ જતાં-જે પ્રમાણે –પોતાના તેજ સહિત –તે
દીવાનો લોપ (નાશ) થાય છે-
પરંતુ તેને પાછો સળગાવતાં-તે પોતાના સહિત
પ્રકાશવા માંડે છે.
માત્ર-અજ્ઞાનીઓ ને જ એમ લાગે છે-કે-આત્મા જ
દેહમાં આવે છે,તે જ વિષયોનો ઉપભોગ લે છે,અને તે જ દેહ છોડી જાય છે, તે ખરેખર સાચું
નથી.
જન્મવું ,મરવું ,કર્મો કરવા (ક્રિયા કરવી) અને
વિષયોને ભોગવવા –એ તો પ્રકૃતિ ના (માયાના) ધર્મો છે.
આ શરીર માં તો આત્મા આત્મ સ્વ-રૂપ માં જ સ્થિત
હોય છે.
કર્તૃત્વ-અને ભોક્તૃત્વ (કર્મો કરવા અને વિષયો
ભોગવવા) એ ધર્મો દેહના છે.(જે પ્રકૃતિ થી બનેલો છે)
આત્મા તો કેવળ સાક્ષીભૂત છે.
આત્મા તો નથી વૃદ્ધિ પામતો કે નથી ક્ષીણ થતો,અને
તે ચેષ્ટા ઓ કરતો નથી કે કરાવતો નથી.
અને -આમ જે સમજે છે-તેને જ સાચું આત્મજ્ઞાન
પ્રાપ્ત થયું છે.
બાકી મનુષ્ય બીજું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે
કે ભલે- તેની બુદ્ધિ પરમાણુ ની પણ જડતી લઇ નાખે-
કે પછી- સકળ શાસ્ત્ર માં તે ભલે નિપુણ હોય-પણ
તેનામાં જો –વૈરાગ્ય નો અંશ ના હોય તો-
પરમાત્મા સાથેનું તેનું તાદામ્ય કે પરમાત્મા સાથે
તેનો મેળાપ શક્ય નથી. (૯-૧૦-૧૧)
શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે સૂર્ય ના તેજ થી સર્વ વિશ્વરચના દેખાય છે-તે
તેજ સહિત –સૂર્ય –મારો (પરમાત્મા નો) બનાવેલો છે.
અગ્નિ અને ચંદ્રમાં રહેલું તેજ પણ મારું (પરમાત્મા નું) છે....(૧૨)
હું (ઈશ્વર) પૃથ્વી માં પ્રવેશી ને તેને આધારભૂત
થયેલો છું, અને તેથી જ તે પૃથ્વી કે જે –
અનેક રજકણો નો બનેલો પિંડ છે-તે સમુદ્ર ના અપાર
પાણી માં પીગળી જતી નથી અને પોતાના ઉપર
અસંખ્ય જીવો ને ધારણ કરે છે.તે જીવો માં પણ હું જ (ઈશ્વર જ) છું.
પૃથ્વી ઉપર થતી અસખ્ય વનસ્પતિ નું વરસાદ થી પોષણ
હું (ઈશ્વર) કરું છું, અને તે સર્વ ધાન્યો થી
પ્રાણીમાત્ર નું પોષણ અને રક્ષણ પણ હું (ઈશ્વર) જ
કરું છું....(૧૩)
હું (ઈશ્વર) વૈશ્વાનર (જઠરાગ્નિ) થઈને પ્રાણીઓના શરીર
માં રહું છું, ને પ્રાણ તેમજ અપાન યુક્ત બની ને-
ચાર પ્રકારનું અન્ન (ભક્ષ્ય,ભોજ્ય,લેહ્ય,ચોષ્ય)
પચાવું છું....(૧૪)
અહીં જે જ્ઞાનેશ્વર કહે છે-કે-તે ખરેખર રસમય છે.
ઊંડું વિચારનાર ને ઘણું બધું સમજાઈ શકે તેમ છે.
પ્રાણીમાત્ર ના શરીર માં “નાભિકંદ”
પર સગડી સળગાવી ને-જઠરમાં ઈશ્વર પ્રદીપ્ત થયેલો છે.(વૈશ્વાનર)
પ્રાણ તથા અપાન-એ વાયુ ની બેવડી ધમણ
દ્વારા –રાત-દિવસ તે જઠરાગ્નિ ને સળગાવી રાખી-
જઠર માં ના સઘળાં અન્ન (ચાર પ્રકારનાં
અન્ન-કોરું,ચીકણું,સીઝેલું,કાચું) પચાવે છે.ને
પ્રાણીમાત્ર નું પોષણ કરી તેમને ટકાવી રાખે છે.