Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-12

બ્રહ્મા વગેરે સર્વ પ્રાણીઓ ને જે અખંડ,અદ્વૈત,આનંદ-“પરમાત્મા-આત્મા” પ્રેરે છે,દોરે છે,જાણે છે,
--તે જ “નિમેષ” (આંખ ના પલકારા) થી “કાલ-શબ્દ” (બ્રહ્મા અને સર્વ ભૂતો ના આયુષ્ય ની ગણના)
--સુધી નો “કાલ” કહેવાય છે. (૧૧૧)


જ્યાં નિરંતર સુખ થી બ્રહ્મ નું ચિંતન થઇ શકે ત્યાં બેસવું, એ જ “આસન” સમજવું,
--બીજું કે જે બ્રહ્મ-ચિંતન ના સુખ નો નાશ કરનાર છે તે આસન તે આસન નથી. (૧૧૨)


જે (બ્રહ્મ) સર્વ જગતની પહેલાં સિદ્ધ જ છે,જે જગત નો આધાર છે,
--જે અવિનાશી અને નિર્વિકાર છે,અને જેમાં સિદ્ધ પુરુષો સમાઈ ગયા છે,
--એ “બ્રહ્મ” ને જ સિદ્ધાસન કહે છે. (૧૧૩)


જે (બ્રહ્મ) સર્વ પદાર્થો નું મૂળ છે,અને જેને લીધે ચિત્ત ને વશ કરી શકાય છે,
--એ “બ્રહ્મ” જ “મૂલબંધ” છે. એનું સદા સેવન કરવું,
--એ (બ્રહ્મ) જ રાજયોગી-બ્રહ્મજ્ઞાનીઓનો  “યોગ” છે.   (૧૧૪)
(નોંધ-યોગશાસ્ત્ર માં “મળદ્વાર” ના સંકોચ નું નામ “મૂલબંધ” છે,પણ અહીં “બ્રહ્મ”ને “મૂલબંધ” કહ્યું છે)


દેહનાં અંગો ની “બ્રહ્મ” માં “એકતા” સાધવી,અને સર્વ-સ્વ-રૂપ-બ્રહ્મ માં તે (દેહ ના અંગો) લીન થઇ જાય,
--તેનું જ નામ “દેહ ની સમતા” છે.
--એ સિવાય અંગો નું સીધાપણું (એકસરખાપણું) ગણાય જ નહિ,એવું તો સુકું ઝાડ પણ હોય. (૧૧૫)


નાક ની અણી ઉપર આંખ ને સ્થિર કરી જોયા કરવું,એ દૃષ્ટિ ની સ્થિરતા નથી,પણ,
--દૃષ્ટિ ને જ્ઞાનમય બનાવી,જગત ને “બ્રહ્મ-રૂપ” જોવું,એ જ ઉદાર દૃષ્ટિ છે,
--એ જ “દૃષ્ટિ ની સ્થિરતા” છે.    (૧૧૬)


જેમાં “જોનાર”,”જોવાની ક્રિયા” અને “જોવા યોગ્ય વસ્તુ” –એવા કોઈ ભેદ જ નથી,
--એ “બ્રહ્મ” માં જ સદા દૃષ્ટિ ની સ્થિરતા રાખવી,તેનું નામ જ “દૃષ્ટિ ની સ્થિરતા” છે.
--નાક ની અણી પર જોઈ રાખવું તે સ્થિર દૃષ્ટિ નથી.  (૧૧૭)


ચિત્ત વગરે બધામાં જ “બ્રહ્મ-પણા” ની જ ભાવના (વિચાર) કરવાથી,
--મન ની દરેક વૃત્તિઓ વિષયો તરફ જતી અટકે છે,
--અને એ જ “પ્રાણાયામ” કહેવાય છે.     (૧૧૮)


“જગત ને મિથ્યા સમજવું” એ “રેચક” નામનો પ્રાણાયામ છે, અને
--“હું બ્રહ્મ જ છું” એવી જે “વૃત્તિ”  તે “પૂરક” નામનો પ્રાણાયામ છે.  (૧૧૯)


પછી એ “વૃત્તિ ની સ્થિરતા” થવી તે “કુંભક” પ્રાણાયામ છે.
--આ જ જ્ઞાનીઓ ના પ્રાણાયામ છે,
--નાક દબાવી ને કરાતો પ્રાણાયામ તો અજ્ઞાનીઓ નો છે.  (૧૨૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE