Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-7-Advaitanuhuti

વાદળાં વગેરે પ્રકાશ પામવાને યોગ્ય વસ્તુ છે,તેઓને પ્રકાશિત કરતો સૂર્ય તેઓથી અલગ પ્રકાશે છે,
--તેમ,સ્થૂળ શરીર વગેરે પ્રકાશ પામવા યોગ્ય વસ્તુને પ્રકાશિત કરતો,આત્મા અલગ પ્રકાશે છે.(૬૧)


જેમ,સૂર્ય સર્વ પદાર્થોનો પ્રકાશક છે અને તે પ્રકાશ પામવા યોગ્ય પદાર્થો થી દૂષિત થતો નથી,
--તેમ,સર્વ નો પ્રકાશક આત્મા,પ્રકાશ પામવાને યોગ્ય-દેહાદિ પદાર્થો થી દૂષિત થતો નથી. (૬૨)


જેમ,દર્પણ માં દેખાતું,મુખ નું પ્રતિબિંબ.ખોટા મુખ જેવું જણાય છે,
--તેમ,બુદ્ધિમાં પડતા ચૈતન્ય નો આભાસ,કેવળ ખોટા આત્મા જેવો જ લાગે છે. (૬૩)


દર્પણ માં દેખાતા મુખ ના પ્રતિબિંબ નો નાશ થવાથી,મુખ નો નાશ થતો નથી,
--તેમ,બુદ્ધિ માં પડતા ચૈતન્ય ના આભાસ નો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. (૬૪)


જેમ તાંબા માં મૂર્તિરૂપે કલ્પેલા દેવ-વગેરે દેવથી જુદા હોય તેવા લાગે છે,
--તેમ,દેખાતા પદાર્થોરૂપે આત્મામાંથી ઉત્પન્ન થયેલું જગત આત્માથી જાણે જુદું હોય તેવું લાગે છે.(૬૫)


જેમ,તાંબુ તો એક જ છે,પણ,ઈશ્વરની પ્રતિમારૂપે ,કે મનુષ્ય ની પ્રતિમારૂપે તેને.જો અલગ અલગ
કલ્પવામાં આવે તો,તે જ તાંબુ જાણે જુદું જુદું હોય તેવું જણાય છે,
--તેમ આત્મા એક જ છે,તો પણ,ઈશ્વર-જીવ-આદિ-રૂપે અનેક જેવો (મિથ્યા) જણાય છે. (૬૬)


જેમ,તાંબામાંથી બનાવેલી ઈશ્વરની પ્રતિમા વગેરેનો નાશ થવાથી મૂળ તાંબા નો નાશ થતો નથી,
--તેમ ઈશ્વર-જીવ-આદિ મિથ્યા જણાયેલાં સ્વરૂપો નો નાશ થવાથી,આત્મા નો નાશ થતો નથી. (૬૭)


દોરીમાં ભ્રાંતિથી જણાયેલો સાપ,દોરી ની હયાતી ને લીધે જ સાચા જેવો જ જણાય છે,
--તેમ,આત્મા માં અજ્ઞાનથી જણાતું જગત,આત્મા ની હયાતી ને લીધે જ સાચા જેવું લાગે છે. (૬૮)


જેમ,દોરીમાં ભ્રાંતિ થી દેખાતો સાપ, તે દોરી છે એવું જાણી ગયા પછી દોરી તરીકે જ બાકી રહે છે,
--તેમ,જ્ઞાન થતાં જગતનો અભાવ થાય છે,અને સદા આત્મા જ બાકી રહે છે.  (૬૯)


જેમ,સ્ફટિક માં દેખાતી રતાશ,તે તેની પાસે રહેલા કોઈ રાતા પદાર્થ ને લીધે જ દેખાય છે,
--અને જેમ,આકાશ વાદળી દેખાય છે તે આંખ ના દોષ થી જ દેખાય છે,

--તેમ,અદ્વૈત આત્મા માં આ જગત સાચા જેવું દેખાય છે.(ખરી રીતે જગત છે જ નહિ)  (૭૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE