Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શિષ્ય પ્રશ્ન કરતાં કહે છે કે-હે,પ્રભુ,”તત્” અને “ત્વમ” એ પદો નો અર્થ કેટલા પ્રકારનો માન્યો છે?
વાચ્યાર્થ ને એક ગણતાં કયો વિરોધ આવે છે,અને લક્ષ્યાર્થ ને એક માનતાં એ વિરોધ કેવી રીતે દૂર થાય છે? લક્ષ્યાર્થ ની એકતા કહેવામાં કઈ લક્ષણા સ્વીકારી છે ?તે કૃપા કરી સમજાવો. (૭૦૦-૭૦૨)

ગુરૂ કહે છે કે-હે,સુજ્ઞ શિષ્ય,તુ સાવધાન થઇ ને સાંભળ,આજે તારું તપ ફળ્યું છે,
એ વાક્ય નો અર્થ સાંભળવાથી જ તને ઉત્તમ પ્રકારનું જ્ઞાન થશે. (૭૦૩)

તત્-અને-ત્વમ-એ બંને પદો નો અર્થ જ્યાં સુધી સારી રીતે વિચારતો નથી,ત્યાં સુધી,જ,
મનુષ્યો ને મૃત્યુ-રૂપ સંસાર જેનું લક્ષણ છે –એનું બંધન રહે છે. (૭૦૪)

સત્-ચિત્-આનંદ-અને અખંડ એકરસ જેનું સ્વ-રૂપ છે એવી અવસ્થા –તે જ મોક્ષ છે.અને
તત્વમસિ- એ વાક્યના અર્થ નું અપરોક્ષ જ્ઞાન થવાથી સજ્જનો ને મોક્ષ પ્રાપ્ત થાય છે.(૭૦૫)

મુમુક્ષુઓએ સંસારથી છુટવા સારું એ વાક્યનો અર્થ જ જાણવો જોઈએ.માટે,
તુ એકાગ્ર થઈને સાંભળ,હું તને સંક્ષેપ માં તે કહું છું. (૪૦૬)

ઉત્તમ પંડિતોએ વાચ્ય,લક્ષ્ય,-વગેરે ભેદો થી અનેક જાતના અર્થો કહ્યા છે,
તેમાંથી પ્રસંગ પૂરતું હું કહું છું તે તુ સાંભળ. (૭૦૭)

તત્વમસિ- એ વાક્ય માં –તત્-ત્વમ-અસિ-એમ ત્રણ પદો છે.
તેમાં પ્રથમ રહેલા -તત્- પદ નો અર્થ કહું છું. (૭૦૮)

શાસ્ત્ર નો અર્થ જાણનારા પંડિતો એ આ- તત્-પદ ના બે અર્થ કહ્યા છે.
(૧) વાચ્ય -અને (૨) લક્ષ્ય. તેમાં નો વાચ્યાર્થ પ્રથમ કહું છું.તે તુ સાંભળ. (૭૦૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE