Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

બુદ્ધિ તો અજ્ઞાન નું કાર્ય છે,ક્ષણે-ક્ષણે નાશ પામનારી છે,અને બુદ્ધિ-વગેરે સર્વ નો અજ્ઞાન માં જ
લય થતો દેખાય છે,વળી “હું અજ્ઞાની છું” આવો અનુભવ સ્ત્રી-બાળક વગેરે ને પણ થાય છે,
માટે “અજ્ઞાન જ આત્મા છે” પણ બુદ્ધિ કદી આત્મા નથી.
વેદ પણ “બધાથી જુદો અંતરાત્મા આનંદમય છે” આમ કહી બુદ્ધિ થી જુદો આનંદમય પરમાત્મા કહે છે.

સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ આદિ બધું અજ્ઞાન માં લય પામી જાય છે,
દુઃખી હોય તેને પણ એ સુષુપ્તિ (અજ્ઞાન) માં આનંદમય-પણું જણાય છે,અને તેને લીધે જ
“ઊંઘમાં હોઈ મને કંઈ ખબર ના રહી” આવો અનુભવ દેખાય છે.
માટે અજ્ઞાન ને જ આત્મા-પણું માનવા યોગ્ય છે.(સાતમો-મત)
આવા પ્રભાકર-આદિ ના મત ને કુમારિલ ભટ્ટ ના અનુયાયીઓ દૂષિત ઠરાવતાં કહે છે કે- (૫૫૯-૫૬૪)

કેવળ અજ્ઞાન જ કેમ આત્મા હોય?જ્ઞાન પણ અનુભવાય છે,જ્ઞાન ના હોય તો,”હું અજ્ઞાની છું”
એમ પોતાના અજ્ઞાની-પણા ને લોકો કેવી રીતે જાણી શકે?
ઉંઘી ને જાગેલા લોકો માં “હું સુખ-પૂર્વક સૂઈ ગયો હતો,તે વેળા હું કંઈ જાણતો નહોતો”
આવું અજ્ઞાન-પૂર્વક નું જ્ઞાન પણ જોવામાં આવે છે.

વળી,”આનંદમય અને પુષ્કળ જ્ઞાનમય જ આત્મા  છે”
એમ શ્રુતિ પોતે પણ આત્મા ને જ્ઞાન-અજ્ઞાન બંને સ્વ-રૂપ જ કહે છે.
માટે જ્ઞાન અને અજ્ઞાન બંને સ્વરૂપ વાળો જ આત્મા છે અને તેને જ અમે આત્મા માન્યો છે (આઠમો મત)
આમ કેવળ અજ્ઞાન-મય જ અહીં પણ જ્ઞાન-અજ્ઞાન-મય ને (કુમારિલ –મત) આત્મા કહે છે (આઠમો મત)
અને કહે છે કે-જો માત્ર અજ્ઞાન-મય જ આત્મા હોય તો-ઘડો-ભીંત વગેરે ની પેઠે કેવળ જડ જ હોય.
આવા આ નિશ્ચયને પણ બીજો જડ-મતવાદી દૂષિત ઠરાવતાં કહે છે કે- (૫૬૫-૫૬૮)

આત્મા જ્ઞાન-અજ્ઞાન-મય કેમ હોઈ શકે?એ તો પ્રકાશ અને અંધકારની પેઠે પરસ્પર વિરુદ્ધ છે.
અને તેથી જ એ જ્ઞાન-અજ્ઞાન નું પ્રકાશ-અંધકાર ની જેમ એક જગ્યાએ રહેવું,અથવા એકબીજા સાથે જોડાવું,
કે એકબીજા નો આશ્રય –એ સિદ્ધ થતો જ નથી.
વળી જ્ઞાન-અજ્ઞાન-બુદ્ધિ વગેરે અને તેમના ગુણો, અથવા જે કંઈ અનુભવનાર –વગેરે છે,
તે પણ સુષુપ્તિ માં જણાતું જ નથી.
અને ઉંઘી ને ઉઠેલા બધા લોકો,”હું ઉંઘી ગયો ત્યારે હું પણ હતો નહિ” એમ શૂન્ય ને જ યાદ કરે છે.
અને શૂન્ય ને જ અનુભવે છે માટે “શૂન્ય એ આત્મા છે” (નવમો-મત)
જ્ઞાન-અજ્ઞાન-રૂપ લક્ષણ-વાળો આત્મા છે જ નહિ.

વળી વેદ પણ “આ જગત પહેલાં અસત્ (શૂન્ય) જ હતું” એમ સ્પષ્ટ કહે છે,
માટે શૂન્ય ને જ અમે આત્મા માન્યો છે. (નવમો મત)
ઘડો-વગેરે તેની ઉત્પત્તિ પહેલાં શૂન્ય (અસત્) રૂપ જ હોય છે,અને પછી થી તે ઉત્પન્ન થયેલો દેખાય છે,
એ ઘડો પ્રથમ પોતાના માં હતો,ને પછી પ્રકટ થાય છે.-એવું તો કંઈ છે જ નહિ.
માટે માણવું પડે છે કે-સર્વ કંઈ આ સત્-રૃપે જે જણાય છે તે બધું અસત્ (શૂન્ય) માંથી જ ઉત્પન્ન થયું છે,

આમ સર્વ રીતે “શૂન્ય”  ને જ આત્મા માનવો યોગ્ય છે. (નવમો મત)  (૫૬૯-૫૭૬) 


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE