Oct 7, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-304



જયારે,વિષયો ભોગવવાની સઘળી ઉત્કંઠાઓ ઓસરી જાય છે,
કલ્પનાઓ ની જાળ દૂર થઇ જાય છે,અને મોહ ભાગી જાય છે,
ત્યારે પ્રવૃત્તિ કરવાની વૃત્તિ ટળી જાય છે,નિંદા વગેરે દુર્ગુણો નષ્ટ થાય છે,ચિંતાઓ અસ્ત પામી જાય છે,
પ્રવૃત્તિ જતી રહે છે,શોક-રૂપી ઝાકળ શાંત થઇ જાય છે,આસક્તિ ઉડી જાય છે,
અને અભિમાન-રૂપી ગાંઠ છૂટી જાય છે.

આવા સમયમાં "મન" એ-"પોતાના સંદેહ-રૂપી કુપુત્રો સાથે" અને "મનોરથ-તથા તૃષ્ણા-રૂપી-સ્ત્રી ની સાથે"
"વાસના-રૂપી-પાંજરાની સાથે" પોતે પણ નષ્ટ થાય છે.અને,
"આત્મા ના જીવન-મુક્ત-રૂપ પરમ પુરુષાર્થ" ને સાધી આપે છે.

મન -પ્રથમ તો પોતાને પુષ્ટિ આપનાર
--"શુભ-અશુભ,મિત્ર-શત્રુ-વગરે વિકલ્પોવાળી કલ્પનાઓ" ને છોડી દે છે.તે પછી-
--"તે વિકલ્પોને ઉત્પન્ન કરવામાં હું સમર્થ છું,તેમ તેમનો નિગ્રહ કરવામાં પણ સમર્થ છું"
 એમ વિચારીને પોતાના "દેહકાર-પણા" ને તારણની જેમ છોડી છે છે.

મન નો જે ઉદય થાય છે-તે જ જીવની પડતી દશા છે,અને મન નો નાશ તે જ જીવ ની ચડતી દશા છે.
જ્ઞાની નું મન નાશ પામે છે અને અજ્ઞાની નું મન વધ્યા કરે છે.

પર્વતો,આકાશ,દેવ,મિત્ર,શત્રુ અને આ જે આ સઘળું જગત દેખાય છે તે- મન- જ છે.
જયારે,ચૈતન્ય ને પોતાના સ્વરૂપ નું વિસ્મરણ થાય છે,
ત્યારે વિકલ્પો થી "મેલી અને સંસારમાં લાગુ પડનારી વાસના" પેદા થાય છે તે જ "મન" નું સ્વરૂપ છે.
એ વાસના જ સંસાર ને પ્રાપ્ત કરાવનારી છે
અને -વિકલ્પો- ની વાસનાથી મેલું થયેલું -બ્રહ્મ- તે જ -જીવ- કહેવાય છે.

જે આત્મા છે તે વાસ્તવિક-રૂપે સંસારી-પુરુષ નથી,કે શરીર પણ નથી.
શરીર જડ છે જયારે  આત્મા તો આકાશની પેઠે નિર્લેપ છે.
જેમ,કેળના સ્તંભને ફાડીને જોતાં તેમાં છોતરાંઓ સિવાય -બીજું કશું દેખાતું નથી,
તેમ શરીરના ટૂકડા કરતાં,તેમાં હાડ-માંસ-રુધિર વગેરે સિવાય બીજું કશું દેખાતું નથી,
માટે શરીર એ જડ છે.અને જે  શરીર છે તે જ મન  છે.
એટલે કે- તે મન જયારે દેહાકાર પામે છે,ત્યારે તે મનુષ્ય કહેવાય છે.
જે જીવ (અહીં-આત્મા) છે -તે જ પોતાના વિકલ્પોથી,પોતામાં જ કલ્પાયેલા એ મન નું
પોતાથી જ ગ્રહણ કરે છે.અને પોતાના બંધન ને માટે જ -એ -મન-થી શરીર ને રચી લે છે.

જેમ,અંકુર,બીજા પ્રદેશમાં અને બીજા કાળ (સમય) માં પાંદડા-પણું ગ્રહણ કરે છે,
તેમ જીવ આ દેહને છોડીને બીજા પ્રદેશમાં અને બીજા કાળમાં -બીજા શરીર નું ગ્રહણ કરે છે.
માટે જીવ (આત્મા) એ દેહ-રૂપ નથી.મનમાં જેવી જેવી વાસનાઓ હોય છે તે પ્રમાણે-મન બીજા શરીર નું
ગ્રહણ કરે છે.એ મન જાગ્રતમાં જેવું વાસનામય થઈને સૂઈ જાય છે,
તે વાસના અને તે રૂપે જ થઈને તે મન સ્વપ્નમાં ખડું થઇ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE