Jan 7, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-382

હે,રામ,જેમ,જયારે, પદાર્થ લીન થાય છે-ત્યારે પદાર્થ ની છાયા પણ લીન થાય છે.તેમ "પ્રાણ નો નિરોધ" થાય ત્યારે મન નો નિરોધ પણ પોતાની મેળે જ થઇ જાય છે.કારણકે મન -એ પ્રાણ-રૂપ છે.

જીવતો મનુષ્ય-દુર દેશાંતર ના અનુભવને પોતાના મનમાં જાણે છે-
તેથી તે દેશનો અનુભવ "મારા મનમાં રહેલો છે" એ-પ્રમાણે કહે છે.
હવે તે જે દેશાંતરના અનુભવનો જે- સંબંધ થયો તે,"ચલન" વિના ઘટતો (થતો) નથી.
અને એ ચલન એ પ્રાણ નો ધર્મ છે.-એટલા માટે મન એ પ્રાણ-રૂપ છે.(નોંધ-પ્રાણ એ વાયુ-રૂપ છે!!)

વૈરાગ્ય થી,પ્રાણાયામ ના અભ્યાસથી,સમાધિથી, વિષયોમાં મન ના જવા-રૂપ દુષ્ટ અભ્યાસ નો નાશ કરવાથી,અને આત્મ-તત્વ ના જ્ઞાનથી-પ્રાણ નો નિરોધ કરી શકાય છે.

મન માં જે ચલન-શક્તિ છે તે પ્રાણ ની છે,અને જે જ્ઞાન-શક્તિ છે તે ચૈતન્ય ની છે.
એ "શક્તિઓ" ના હોય તો -મન કદાપિ ચાલી શકે નહિ-કે જાણી શકે નહિ.
જે ચલન  છે-તે અનિત્ય છે અને જડ છે,અને-
જે જ્ઞાન છે તે આત્મા નું જ સ્વરૂપ હોવાથી, સર્વદા સ્વચ્છ છે અને સર્વ-વ્યાપક છે.
અને આમ હોવા થી જ્ઞાન નું અને ચલન નું મિશ્રણ થવું વાસ્તવિક રીતે સંભવતું જ નથી.
પણ કલ્પનાથી - જે (આવું મિશ્રણ) માની લેવામાં આવ્યું છે તે જ મન કહેવાય છે.

આ રીતે મન મિથ્યા જ ઉત્પન્ન થયું છે અને ખોટી સમજણ-રૂપ જ છે.અને તે જ "અવિદ્યા" કહેવાય છે,
તે જ વિક્ષેપ-શક્તિ કહેવાય છે,અને તે અજ્ઞાન ના સર્વસ્વ નો તે નિર્વાહ કરનાર હોવાથી અજ્ઞાન પણ કહેવાય છે.અને (આમ) આ અજ્ઞાન જ સંસાર -આદિ-રૂપ-ઝેર ને આપનારું છે.

ઉપર પ્રમાણે - જ્ઞાન-શક્તિ અને ચલન-શક્તિ ના સંબંધ માં જો સંકલ્પ ની કલ્પના કરવામાં આવે જ નહિ-તો-મન રહેતું જ નથી.અને જયારે એ મન ના રહે ત્યારે સંસારના સંબંધ-વાળા સઘળા ભયો નો નાશ થઇ જાય છે.
"વાયુ ની ચલન-શક્તિ" જયારે,ચૈતન્ય ને સ્ફુરિત કરે છે-ત્યારે જ ચૈતન્ય ચલન શક્તિ-વાળું થઈને
"સંકલ્પ" કરે છે.અને તેથી મન-પણાને પામે છે
આ રીતે બાળકે કલ્પેલા યક્ષ ની પેઠે-ચૈતન્ય માં મન-પણું માત્ર કલ્પનાથી જ ઉત્પન્ન થયું છે.
અને તેથી તે મિથ્યા જ છે.કારણકે વાસ્તવમાં ચૈતન્યમાં  કોઈ પ્રકાર નો આકાર કે "ચલન" (તરંગ) છે  જ નહિ

ચૈતન્ય તો અખંડ અને પૂર્ણતા વાળું છે-અને તેમ કોઈ કલ્પિત પદાર્થ થી,ખંડિત-પણું  કે-અપૂર્ણ-પણું થવાનો સંભવ જ નથી.પૂર્ણ-અખંડ અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ એ ચૈતન્ય નું કોની સાથે અથડાવું સંભવે?
કે જેનાથી તે ખંડિત થઇ થાય? આમ,ચૈતન્ય માં ચલન (તરંગ) નામની કોઈ ક્રિયા હોવી -એ સંભવ નથી.અને એટલે જ ચૈતન્ય ને તરંગ સાથે કોઈ જ સંબંધ નથી.
તો હવે ચલન ના સંબંધ વિનાના ચૈતન્ય વિના  કોનું મન સિદ્ધ થાય? અને તે કેવું સિદ્ધ થાય?
અને જો ચલન એ ચૈતન્ય થી જુદું છે જ નહિ -તેવો પક્ષ લઈએ તો-પણ પછી મન કોને કહી શકાય?

આથી હે રામ,ત્રૈલોક્યમાં પણ મન નામનો દુષ્ટ પદાર્થ છે જ નહિ-એમ બરાબર સમજીને
"મન છે જ નહિ" એવો જે "નિશ્ચય" થાય તે જ મન નો નાશ સમજવો.
માટે-"મન છે" એવી વ્યર્થ અને અનર્થ આપનારી,કલ્પના તમે કરો જ નહિ.કારણ કે-વ્યર્થ સંકલ્પો કરનારું
મન આખા બ્રહ્માંડ માં ક્યાંય નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE