Sep 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-622

જેમ,જળમાં તરંગ-પણું અને તે તરંગ માં ફીણ-પણું થાય છે,
તેમ,જીવને શરીરનો દૃઢ  અભ્યાસ પ્રાપ્ત થતાં,તે,શરીરમાં મોટી વ્યાધિઓ અને મોટી ચિંતાઓ થાય છે અને તે જીવ  દીનતા ને પ્રાપ્ત  થાય છે.
જેમ,સૂર્ય-એ-પોતે જ પ્રકાશિત કરેલાં વાદળોથી ઢંકાઈ જાય છે,
તેમ,ચૈતન્ય-શક્તિ,પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી
"હું ચૈતન્ય નથી" એવી ભાવનાઓથી પરવશ થઇ જાય છે.(દીનતા ને પ્રાપ્ત થાય છે)

જેમ, મદિરા ના પ્રબળ મદથી  પરવશ થયેલા,પુરુષના અંગ પાર ઘા થાય,તો પણ તે જાણી શકતો નથી,
તેમ,પરવશ-પણા થી જે તે યોનિઓ માં અવતરતી ચૈતન્ય-શક્તિ મૂઢ-પણા (અજ્ઞાન)ને લીધે,
પોતાના ચૈતન્ય-પણા નું જ્ઞાન મેળવી શકતી  નથી.
જેમ,મદિરા નો મદ ઉતરી જતાં,તે પુરુષ પોતાના કાર્યોનું સ્મરણ કરીને નિર્મોહ થાય છે,
તેમ,અજ્ઞાનથી પરવશ થયેલી,ચૈતન્ય-શક્તિ,અજ્ઞાન ટળી જાય ત્યારે,
પોતાના સ્વ-રૂપને યાદ કરીને મોહ-રહિત થાય છે.

જેમ,કોઢિયો માણસ,પોતાના ગલિત  થયેલા આંગળાંને ગતિ આપી શકતો નથી,
તેમ,જયારે લિંગ-શરીરનો ઉપ-સંહાર થતાં,પ્રાણ-એ-હાથ-પગ વગેરેનાં જ્ઞાનોને ચલન  આપતો નથી,
ત્યારે,દેહમાં રહેલું હૃદય-કમળ,કોઈથી થડકો નહિ લાગવાને લીધે,જરા પણ ચલિત થતું નથી.

જેમ,પાંખો ચલન વગરની થતાં,બહારની પવન-શક્તિઓ શાંત થઇ જાય છે,
તેમ અંદરનું હૃદય-કમળ પણ ચલન  વગરનું થતાં,પ્રાણો  શાંત થઇ જાય છે.
આ રીતે વાયુ,બંધ થવાની સાથે જ,અંદરનો સ્પર્શ દૂર થવાથી પ્રાણ શાંત થાય છે,અને,
જીવ,નામ-રૂપ-રહિત-કારણ-સ્વ-રૂપને (પોતાને) પામે છે.

હે,વસિષ્ઠ મુનિ,એ સમયમાં,પ્રાણના ઉપરામથી,રજ તથા આધાર વિનાનું મન,પણ,
પ્રાણની સાથે જ કારણ-સ્વ-રૂપને પામીને,તે (હવે માત્ર) સ્વ-રૂપે અવશેષ (બાકી) રહીને,
ઝાડના જળથી સિંચાતા બીજ ની જેમ,બીજા દેહનો આવિર્ભાવ કરવા તૈયાર થાય છે.
આ રીતે ચારે બાજુ સઘળાં  કારણ દૂર થવાથી,લિંગ શરીર ચલન  વગરનું થતા,દેહ નિર્બળ થઈને પડી જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE