Jul 1, 2017

Sarg-Visarg-Defination in Bhagvat and Chatu Shloki Bhagvat

ભાગવતના બીજા સ્કંધમાં-દશમા અધ્યાયમાં શ્લોક-૩-માં સર્ગ-વિસર્ગ ની ટૂંકમાં વ્યાખ્યા આપી છે.
 (જો કે અદ્વૈત મુજબ આ સર્ગ-વિસર્ગ ને "કલ્પના કે સંકલ્પ" જ કહેવામાં આવે છે-અને એટલે જ "જગત મિથ્યા" કહ્યું છે)

સર્ગ
બ્રહ્મ (ઈશ્વર કે પરમાત્મા-કે જે નિર્ગુણ નિરાકાર છે) ની "પ્રેરણા" (કે સંકલ્પ-કે કલ્પના) થી,
ગુણો (સત્વ-રજસ-તમસ) માં ક્ષોભ થતાં અને તેનું રૂપાંતર થતાં,
પંચમહાભૂતો (આકાશ-વાયુ-પૃથ્વી-અગ્નિ-જળ) તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે)
ઇન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો) અહંકાર અને મહતતત્વ (બુદ્ધિ) ની ઉત્પત્તિ થાય છે તેને "સર્ગ" કહે છે.

વિસર્ગ
વિરાટ-પુરુષ (પુરુષ-બ્રહ્મ-ઈશ્વર કે પરમાત્મા) થી ઉત્પન્ન થયેલા બ્રહ્મા-વડે,જે જુદી જુદી જાતની
જડ-ચેતન સૃષ્ટિનું નિર્માણ થાય છે,તેનું નામ "વિસર્ગ"
............................................................................................
ચતુશ્લોકી (ચાર શ્લોકનું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )

૧----સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
        (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                  
    ---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
    ---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
       ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.......( ૨/૯/૩૨ )

૨.---”માયા“ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રયપણું ) દેખાતું નથી.
   ---જેવી રીતે  શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.....................................(૨/૯/૩૩)
      (નોધ - શરીર ના ધર્મો-કે-દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી
       દાખલ થયેલા છે અને 
( જે દેખાય  છે)
      તે -દાખલ થયેલા પણ નથી ( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
   ---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં રહ્યો છું-અને-નથી પણ રહ્યો …..........(૨/૯/૩૪ )

૪.---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
     --આત્મા-નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે 
-
     ---જે વસ્તુ -અન્વય  ( આત્માનું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
        અને 
     --અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક કે આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
        થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે. ...............................................................( ૨/૯/૩૫ )