Apr 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-498

 

અધ્યાય-૨૧૬-પૂર્વજન્મના શાપનું વૃતાંત 


II उवाच II एवं शप्तोहमृपिणा तदा द्विजवरोत्तम I अभिप्रसादयमृपिं गिरा त्राहीति मां तदा II १ II

વ્યાધ બોલ્યો-હે શ્રેષ્ઠ દ્વિજવર,ઋષિએ મને આમ શાપ આપ્યો ત્યારે મેં તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-

'હે મુનિ,મારુ રક્ષણ કરો.મારાથી અજાણતાં આમ થઇ ગયું છે,તમે ક્ષમા આપો ને પ્રસન્ન થાઓ'

ઋષિ બોલ્યા-મારો આપેલો શાપ મિથ્યા નહિ જ થાય છતાં હું તારા પર કૃપા કરીશ,શૂદ્રયોનિમાં જન્મવા 

છતાં તું ધર્મજ્ઞ થશે,માતપિતાની સેવા કરશે,ને તેને પ્રતાપે તું સિદ્ધિ અને મહત્તા પામશે.

તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે,અને શાપનો અંત આવશે એટલે તું ફરીથી બ્રાહ્મણ થશે'

પછી,મેં તેમના શરીરમાંથી બાણ ખેંચી કાઢ્યું ને ત્યાંથી આશ્રમમાં લઇ જઈને સુશ્રુષા કરી એટલે તેમના 

પ્રાણ બચી ગયા.આ મારુ પૂર્વજન્મનું વૃતાંત કહ્યું.હવે મારે થોડા જ સમયમાં સ્વર્ગે જવાનું થશે.(8)

બ્રાહ્મણ બોલ્યો-હે મહાબુદ્ધિશાળી,આ પ્રમાણે જ મનુષ્યોને સુખદુઃખ આવ્યા કરે છે.મારા મત પ્રમાણે તો તમે અત્યારે પણ નિઃસંશય બ્રાહ્મણ જ છો.બ્રાહ્મણમાં જન્મેલો પણ જો શાસ્ત્રવિરુદ્ધ કર્મો કરે છે તે શુદ્ર સમાન જ છે.

હું તમને સર્વ રીતે દોષમુક્ત માનું છું,તમારા જેવા ધર્મપરાયણ કદી ખેદ કરતા જ નથી.


વ્યાધ બોલ્યો-જેઓ બુદ્ધિની પર ગયા છે અને પરમગતિને જુએ છે તે સિદ્ધ જ્ઞાનીઓ ભૂતમાત્રને નાશવંત 

માનીને કદી શોક કરતા નથી.હું ખેદ કે શોક કરતો નથી,પણ ધૈર્ય રાખી,કાળની રાહ જોઈને ઉભો છું.

બ્રાહ્મણ બોલ્યો-તમે સિદ્ધ જ્ઞાની,મહાબુદ્ધિમાન ને ધર્મજ્ઞ છો,હું તમારા વિષે ચિંતા કરતો નથી.તમારું મંગલ હો,ધર્મ તમારું રક્ષણ કરો,હું તમારી રજા માગું છું' આમ વ્યાધની રજા લઈને બ્રહ્મ પોતાના ઘેર જઈને પોતાના વૃદ્ધ માતપિતાની સેવા કરવા લાગ્યો.


માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,તમે મને જે ધર્મ વિશે પૂછ્યું હતું તે મેં તમને પૂરેપૂરું કહ્યું.

મેં તમને પતિવ્રતાનું માહાત્મ્ય ને વ્યાધના સનાતન ધર્મ (માતપિતાની સેવા) વિશે સર્વ કહ્યું (35)

યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિશ્રેષ્ઠ,તમે અદભુત અને ઉત્તમ જે ધર્માખ્યાન કહ્યું તે સાંભળવામાં એટલું સુખદાયી હતું કે સમય પલકારાની જેમ ચાલ્યો ગયો,ઉત્તમ ધર્મને સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી (37)

અધ્યાય-૨૧૬-સમાપ્ત