Showing posts with label રામચરિત-માનસ. Show all posts
Showing posts with label રામચરિત-માનસ. Show all posts

May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૪

ચોપાઈ 

તબ લગિ હૃદયબસત ખલ નાના, લોભ મોહ મચ્છર મદ માના.
જબ લગિ ઉર ન બસત રઘુનાથા, ધરેં ચાપ સાયક કટિ ભાથા.
જ્યાં સુધી ધનુષબાણ અને કમરમાં ભાથો ધરનાર શ્રી રઘુનાથજી હૃદયમાં વસતા નથી,
ત્યાં સુધી જ લોભ, મોહ, મત્સર,મદ  તથા માન આદિ અનેક દુષ્ટો હૃદયમાં વસે છે.

મમતા તરુન તમી અિઆરી, રાગ દ્વેષ ઉલૂક સુખકારી.
તબ લગિ બસતિ જીવ મન માહીં, જબ લગિ પ્રભુ પ્રતાપ રબિ નાહીં.
મમતા પૂર્ણ અંધકારમય રાત્રિ  છે કે જે રાગ - દ્વેષરૂપી ધુવડોને સુખ આપનારી છે.તે મમતારૂપી અંધારી રાત જ્યાં સુધી પ્રભુતારૂપી સૂર્ય  હોતો નથી ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે.  

અબ મૈં કુસલ મિટે ભય ભારે, દેખિ રામ પદ કમલ તુમ્હારે.
તુમ્હ કૃપાલ જા પર અનુકૂલા, તાહિ ન બ્યાપ ત્રિબિધ ભવ સૂલા.
હે શ્રી રામ  ! આપના ચરણાવિંદ નાં દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય મટ્યો છે.
હે કૃપાળુ  !  આપ જેના  પર પ્રસન્ન થાઓ છો,તેને  ત્રણે પ્રકારનાં ભવશૂળ (અધ્યાત્મિક,આધિદૈવિક અને  આધિ ભૌતિક તાપ )વ્યાપ્તા નથી.

મૈં નિસિચર અતિ અધમ સુભાઊ, સુભ આચરનુ કીન્હ નહિં કાઊ.
જાસુ રૂપ મુનિ ધ્યાન ન આવા, તેહિં પ્રભુ હરષિ હૃદયમોહિ લાવા.
હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું,મેં કદી શુભ આચરણ કર્યું નથી.જેનું રૂપ મુનિઓના ધ્યાનમાં
નથી આવતું તે પ્રભુએ પોતેજ હર્ષિત થઇ મને હદય સાથે લગાવ્યો છે !

(દોહા)

અહોભાગ્ય મમ અમિત અતિ રામ કૃપા સુખ પુંજ.
દેખેઉનયન બિરંચિ સિબ સેબ્ય જુગલ પદ કંજ.(૪૭)
હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજી ! મારાં અતિ અમાપ અહો ભાગ્ય છે કે જે મેં બ્રહ્મા તથા શંકરને પણ સેવવા યોગ્ય આપનાં બંને ચરણકમળ મારાં નેત્રોથી (પ્રત્યક્ષ ) જોયાં છે.(૪૭)

ચોપાઈ 

સુનહુ સખા નિજ કહઉસુભાઊ, જાન ભુસુંડિ સંભુ ગિરિજાઊ.
જૌં નર હોઇ ચરાચર દ્રોહી, આવે સભય સરન તકિ મોહી.
(શ્રી રામે કહ્યું : ) હે મિત્ર ! સાંભળો. હું તમને મારો સ્વભાવ કહું છું કે જે ને  કાક્ભુશંડી , શંકર તથા પાર્વતી પણજાણે છે.જે કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ - ચેતન  જગત ના દ્રોહી હોય પણ જો ભયભીત થઇ મારે શરણે આવે;


તજિ મદ મોહ કપટ છલ નાના, કરઉસદ્ય તેહિ સાધુ સમાના.
જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહ્રદ પરિવારા.
અને મદ , મોહ તથા અનેક પ્રકારનાં છળ-કપટ  ત્યજી દે, તો હું તેને તરત જ સાધુ સમાન કરું છું.
માતા,પિતા,ભાઈ,પુત્ર,સ્ત્રી,શરીર,ધન,ઘર,મિત્ર અને પરિવાર .

સબ કૈ મમતા તાગ બટોરી, મમ પદ મનહિ બા બરિ ડોરી.
સમદરસી ઇચ્છા કછુ નાહીં, હરષ સોક ભય નહિં મન માહીં.
એ સર્વના મમતારૂપી કાચા દોરાઓ એકઠા કરી (વણી) ,તે બધાની એક (પાકી ) દોરી વણી ને તે દ્વારા જે પોતાના મનને મારાં ચરણોમાં બાંધે છે , જે  સમદર્શી  છે, જેને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ ,શોક તથા ભય નથી.

અસ સજ્જન મમ ઉર બસ કૈસેં, લોભી હૃદયબસઇ ધનુ જૈસેં.
તુમ્હ સારિખે સંત પ્રિય મોરેં, ધરઉદેહ નહિં આન નિહોરેં.
એવો સજ્જન મારાં હૃદયમાં કેવો વસે છે કે , જેવું લોભીના હૃદયમાં ધન વસે છે  ! તમારા જેવા સંત જ મને પ્રિય છે. (અને તેઓ માટે જ મેં આ મનુષ્ય શરીર ધર્યું છે.)બીજા કોઈની  પ્રાર્થના થી  હું દેહ  ધરતો નથી.

(દોહા)

સગુન ઉપાસક પરહિત નિરત નીતિ દૃઢ઼ નેમ.
તે નર પ્રાન સમાન મમ જિન્હ કેં દ્વિજ પદ પ્રેમ.(૪૮)
જે સગુણ - સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દઢ છે અનેજેઓને બ્રાહ્મણો નાં ચરણો માં પ્રેમ છે , તે મનુષ્ય મારા પ્રાણ સમાન છે.(૪૮)     

ચોપાઈ 

સુનુ લંકેસ સકલ ગુન તોરેં, તાતેં તુમ્હ અતિસય પ્રિય મોરેં.
રામ બચન સુનિ બાનર જૂથા, સકલ કહહિં જય કૃપા બરૂથા.
હે લંકેશ  ! સાંભળો , તમારામાં સર્વ ગુણો છે;તેથી મને અત્યંત પ્રિય છો. શ્રી રામનાં વચનો સાંભળી સર્વ વાનરોના  સમૂહ કહેવા લાગ્યા : કૃપાના સમૂહ શ્રી રામનો જય થાઓ !


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 


Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૩

જગ મહુસખા નિસાચર જેતે, લછિમનુ હનઇ નિમિષ મહુતેતે.
જૌં સભીત આવા સરનાઈ, રખિહઉતાહિ પ્રાન કી નાઈ.
કેમ કે  હે મિત્ર ! જગતમાં જેટલા રાક્ષસો છે, તે સર્વ ને લક્ષ્મણ પલકવાર માં જ મારી શકે છે,
પણ જો તે ભયભીત થઇ મારી શરણે આવ્યો હશે, તો હું તેને પ્રાણ ની પેઠે રાખીશ (તેની રક્ષા કરીશ ).

(દોહા)

ઉભય ભિ તેહિ આનહુ હિ કહ કૃપાનિકેત.
જય કૃપાલ કહિ ચલે અંગદ હનૂ સમેત(૪૪)
કૃપાના ધામ શ્રી રામે  હસીને કહ્યું : બંને પ્રકારે (શત્રુ કે શરણે -તેવા બે પ્રકારે) તેને લાવો .
ત્યારે અંગદ અને હનુમાન સહિત વાનર ગણ કૃપાળુ શ્રી રામનો જય થાઓ (એમ ) કહી ચાલ્યા.(૪૪)

ચોપાઈ 
સાદર તેહિ આગેં કરિ બાનર, ચલે જહારઘુપતિ કરુનાકર.
દૂરિહિ તે દેખે દ્વૌ ભ્રાતા, નયનાનંદ દાન કે દાતા.
વિભીષણ ને આદર સહીત આગળ કરી વાનરો ફરી ત્યાં ચાલ્યા કે જ્યાં કરુણા ની ખાણ શ્રી રામચંદ્રજી હતા.  નેત્રોને આનંદ નું દાન દેનારા બંને ભાઈઓને વિભીષણે દુરથી જોયા .

બહુરિ રામ છબિધામ બિલોકી, રહેઉ ઠટુકિ એકટક પલ રોકી.
ભુજ પ્રલંબ કંજારુન લોચન, સ્યામલ ગાત પ્રનત ભય મોચન.
પછી શોભાના ધામ શ્રી રામ ને જોઈને મટકું પણ માર્યા વગર સ્તબ્ધ થઇ એકીટશે જોઈ રહ્યા  !  
ભગવાનની ભુજાઓ  લાંબી હતી, નેત્રો લાલ કમળ સમાન હતાં અને
શરણાગતો નાં ભયનો નાશ કરનારું શરીર શ્યામ હતું.

સિંઘ કંધ આયત ઉર સોહા, આનન અમિત મદન મન મોહા.
નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરિ ધીર કહી મૃદુ બાતા.
ખાંધ સિંહ સમાન હતી.વિશાળ વક્ષ: સ્થળ શોભી રહ્યું હતું અને મુખ અસંખ્ય કામદેવોના મનને મોહ કરનાર હતું.  ભગવાન નું સ્વરૂપ જોઈ વિભીષણ નાં નેત્રોમાં પ્રેમાશ્રુ નાં જળ ભરાયાં અને શરીર અત્યંત રોમાંચિત થયું. પછીમનમાં ધીરજ ધરી તેમણે કોમળ વચનો કહ્યાં.

નાથ દસાનન કર મૈં ભ્રાતા, નિસિચર બંસ જનમ સુરત્રાતા.
સહજ પાપપ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિ તમ પર નેહા.
હે નાથ ! હું  દશમુખ  રાવણ નો ભાઈ  છું. હે દેવોના રક્ષક ! મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે .મારું શરીર તામસ છે. અને જેમ ઘુવડને અંધકાર પર (સહજ )સ્નેહ છે ,તેમ સ્વભાવથી જ મને પાપ પ્રિય છે.

(દોહા)

શ્રવન સુજસુ સુનિ આયઉપ્રભુ ભંજન ભવ ભીર.
ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર(૪૫)
હું કાનથી આપનો સુંદર યશ સાંભળી આવ્યો છું કે પ્રભુ સંસારના ભયનો નાશ કરનારા છે.  હે દુઃખીઓના   દુઃખ  દુરકરનાર અને શરણાગતો ને સુખ દેનાર શ્રી રઘુવીર ! ત્રાહી , ત્રાહી - મારી રક્ષા કરો - રક્ષા કરો.(૪૫)

ચોપાઈ 

અસ કહિ કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હરષ બિસેષા.
દીન બચન સુનિ પ્રભુ મન ભાવા, ભુજ બિસાલ ગહિ હૃદયલગાવા.
એમ કહી દંડવત કરતા તેમને  પ્રભુ એ જોયા; એટલે તે અતિશય હર્ષ પામી તરત જ ઉઠ્યા.
વિભીષણ નાં દીન વચનો સાંભળી પ્રભુ મનમાં ઘણાજ  હર્ષ પામ્યા.
તેમણે પોતાની વિશાળ ભુજાઓથી પકડી તેમને હૃદય સરસા ચાંપ્યા.

અનુજ સહિત મિલિ ઢિગ બૈઠારી, બોલે બચન ભગત ભયહારી.
કહુ લંકેસ સહિત પરિવારા, કુસલ કુઠાહર બાસ તુમ્હારા.
નાના ભાઈ લક્ષ્મણજી સહિત (વિભીષણને ) મળી , પોતાની પાસે બેસાડી શ્રી રામચંદ્રજી ભક્તોના ભયને હરનારાંવચનો  બોલ્યા : હે  લંકેશ  ! પરિવાર સહિત તમારું કુશળ કહો.   તમારો વાસ ખરાબ સ્થાન પર છે.

ખલ મંડલીં બસહુ દિનુ રાતી, સખા ધરમ નિબહઇ કેહિ ભાી.
મૈં જાનઉતુમ્હારિ સબ રીતી, અતિ નય નિપુન ન ભાવ અનીતી.
દિવસ - રાત  દુષ્ટો ની મંડળીમાં તમે વસો છો. હે મિત્ર  ! તમારો ધર્મ કયા પ્રકારે નભે છે ?  હું તમારી  સર્વ  રીતી  જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો.તમને અનીતિ  ગમતી નથી.

બરુ ભલ બાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જનિ દેઇ બિધાતા.
અબ પદ દેખિ કુસલ રઘુરાયા, જૌં તુમ્હ કીન્હ જાનિ જન દાયા.
હે તાત  ! નરકમાં વસવું ઘણું જ સારું , પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ન દે.(વિભીષણે કહ્યું  : ) હે રઘુનાથજી!
હવે  આપના ચરણોના દર્શન કરી હું કુશળ છું,કારણ કે આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે.

(દોહા)

તબ લગિ કુસલ ન જીવ કહુસપનેહુમન બિશ્રામ.
જબ લગિ ભજત ન રામ કહુસોક ધામ તજિ કામ(૪૬)
જ્યાં સુધી જીવ શોકના ઘર રૂપી  કામ વાસના છોડી શ્રી રામને ભજતો નથી,
ત્યાં સુધી તેનું કુશળ નથી અને સ્વપ્ન માં પણ તેના મનને શાંતિ નથી.(૪૬)


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 


Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૨

દેખિહઉજાઇ ચરન જલજાતા, અરુન મૃદુલ સેવક સુખદાતા.
જે પદ પરસિ તરી રિષિનારી, દંડક કાનન પાવનકારી.
(તે વિચાર કરતા જતા હતા કે ) હું જઈને ભગવાનના કોમળ અને લાલ વર્ણનાં ચરણકમળો નું દર્શન કરીશ.કે જે સેવકોને સુખ આપનાર છે, વળી જે ચરણો નો સ્પર્શ  કરવાથી  ઋષિ પત્ની અહલ્યા તારી
અને જે દંડક વનને પવિત્ર કરનાર છે.

જે પદ જનકસુતાઉર લાએ, કપટ કુરંગ સંગ ધર ધાએ.
હર ઉર સર સરોજ પદ જેઈ, અહોભાગ્ય મૈ દેખિહઉતેઈ.
જે ચરણો ને સીતાજીએ હૃદયમાં ધર્યા છે, જે કપટ મૃગ મારીચ સાથે પૃથ્વી પર (તેને પકડવા )દોડ્યા અને જેચરણકમળ સાક્ષાત શંકરના હૃદયરૂપી સરોવરમાં વિરાજે છે,મારાં અહોભાગ્ય છે કે હું તેમને આજે જોઇશ. 

(દોહા)

જિન્હ પાયન્હ કે પાદુકન્હિ ભરતુ રહે મન લાઇ.
તે પદ આજુ બિલોકિહઉઇન્હ નયનન્હિ અબ જાઇ.(૪૨)
જે ચરણો ની પાદુકાઓમાં ભરતજીએ મન લગાડ્યું છે,
તે ચરણો ને હું આજે હમણાં જઈને આ નેત્રોથી જોઇશ !(૪૨)                                         

ચોપાઈ 

એહિ બિધિ કરત સપ્રેમ બિચારા, આયઉ સપદિ સિંધુ એહિં પારા.
કપિન્હ બિભીષનુ આવત દેખા, જાના કોઉ રિપુ દૂત બિસેષા.
એ પ્રકારે પ્રેમ સહિત વિચાર કરતા તે જલદી સમુદ્ર ની આ પાર (જ્યાં રામચંદ્રજીની સેના હતી ત્યાં ) આવ્યા.વાનરોએ વિભીષણ આવતા જોઈ જાણ્યું કે , આ શત્રુનો કોઈ ખાસ દૂત છે.

તાહિ રાખિ કપીસ પહિં આએ, સમાચાર સબ તાહિ સુનાએ.
કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ, આવા મિલન દસાનન ભાઈ.
તેમને  (પહેરા પર ) થોભાવીને તેઓ સુગ્રીવ પાસે આવ્યા અને તેમને  સર્વ સમાચાર સંભળાવ્યા .
સુગ્રીવે (શ્રી રામ પાસે જઈ ) કહ્યું : હે રઘુનાથજી ! સંભાળો . રાવણ નો ભાઈ આપને મળવા આવ્યો છે.

કહ પ્રભુ સખા બૂઝિઐ કાહા, કહઇ કપીસ સુનહુ નરનાહા.
જાનિ ન જાઇ નિસાચર માયા, કામરૂપ કેહિ કારન આયા.
પ્રભુ શ્રી રામે કહ્યું : હે મિત્ર ! તમારી શી સલાહ છે ? વાનરરાજ  સુગ્રીવે કહ્યું : હે મહારાજ  ! સાંભળો. રાક્ષસોનીમાયા જાણી શકાતી નથી.તે ઈચ્છાનુંસાર રૂપ ધરનારો (કપટી ) કયા કારણે આવ્યો હશે ? (તે શું કહી શકાય ! )

ભેદ હમાર લેન સઠ આવા, રાખિઅ બાધિ મોહિ અસ  ભાવા.
સખા નીતિ તુમ્હ નીકિ બિચારી, મમ પન સરનાગત ભયહારી.
(મને લાગેછે કે ,) તે લુચ્ચો આપણો ભેદ લેવા આવ્યો છે , માટે મને તો એજ લાગે છે કે તેને બાંધી રાખવો .
શ્રીરામે કહ્યું : તમે નીતિ ઠીક વિચારી , પરંતુ શરણાગત નો ભય હરવો એ મારુંપણ”  છે.

સુનિ પ્રભુ બચન હરષ હનુમાના, સરનાગત બચ્છલ ભગવાના.
પ્રભુનાં વચન સાંભળી હનુમાન હર્ષ પામ્યા (અને મનમાં કહેવા લાગ્યા કે ,)
ભગવાન શરણે આવેલા પર પ્રેમ  રાખનાર છે.

(દોહા)

સરનાગત કહુજે તજહિં નિજ અનહિત અનુમાનિ.
તે નર પાવ પાપમય તિન્હહિ બિલોકત હાનિ.(૪૩)
(શ્રી રામ ફરી બોલ્યા : ) જે મનુષ્ય પોતાનું અહિત વિચારી શરણે આવેલાને ત્યજે છે,તે પામર અને પાપમય છે.અને તેને જોવામાં પણ હાનિ  છે.(૪૩)

ચોપાઈ 

કોટિ બિપ્ર બધ લાગહિં જાહૂ, આએસરન તજઉનહિં તાહૂ.
સનમુખ હોઇ જીવ મોહિ જબહીં, જન્મ કોટિ અઘ નાસહિં તબહીં.
જેને કરોડો બ્રાહ્મણ ની હત્યા લાગી હોય,તેને પણ શરણે આવ્યા પછી હું ત્યજતો નથી.
જીવ જયારે મારી સન્મુખ થાય છે, ત્યારે તેના કરોડો જન્મ નાં પાપ નાશ પામે છે.

પાપવંત કર સહજ સુભાઊ, ભજનુ મોર તેહિ ભાવ ન કાઊ.
જૌં પૈ દુષ્ટહદય સોઇ હોઈ, મોરેં સનમુખ આવ કિ સોઈ.
પાપીઓનો એ સહજ સ્વભાવ હોય છે કે, તેને મારું ભજન કદી ગમતું નથી.
તે (રાવણ નો ભાઈ ) દુષ્ટ હૃદયવાળો      હોત , તો  શું મારી સન્મુખ આવત ?

નિર્મલ મન જન સો મોહિ પાવા, મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.
ભેદ લેન પઠવા દસસીસા, તબહુન કછુ ભય હાનિ કપીસા.
જે મનુષ્ય નિર્મળ મનનો હોયછે તે જ મને પામે છે.મને કપટ અને છળ - છિદ્રો ગમતાં નથી.જો તેને રાવણે
(આપણો) ભેદ લેવા મોકલ્યો હશે , તો પણ હે સુગ્રીવ ! આપણને કંઈ ભય કે હાની નથી.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE